SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૭ [૧૧૪] યોગ્યતા અને નિમિત્ત. (બધા નિમિત્તો ધર્માસ્તિકાયવત્ છે.) “ઈબ્દોપદેશમાં (ગા. ૩૫માં) કહ્યું છે કે કોઈ પણ કાર્ય થવામાં વાસ્તવિકપણે તેની પોતાની યોગ્યતા જ સાક્ષાત્ સાધક છે, એટલે કે દરેક વસ્તુની પોતાની યોગ્યતાથી જ કાર્ય થાય છે, ત્યાં બીજી ચીજ તો ધર્માસ્તિકાયવ નિમિત્ત માત્ર છે. જેમ પોતાની યોગ્યતાથી સ્વયં ગતિ કરનારા પદાર્થોને ધર્માસ્તિકાય તો પડયું પાથર્યું નિમિત્ત છે, તે કાંઈ કોઈને ગતિ કરાવતું નથી; તેમ દરેક વસ્તુમાં પોતાની કમબધ્ધપર્યાયની યોગ્યતાથી જ કાર્ય થાય છે, તેમાં જગતની બીજી ચીજ તો ફક્ત ધર્માસ્તિકાયવત્ છે. જુઓ, આ ઇષ્ટ-ઉપદેશ. આવો સ્વાધીનતાનો ઉપદેશ તે જ ઇષ્ટ છે, હિતકારી છે, યથાર્થ છે. આનાથી વિપરીત માન્યતાનો ઉપદેશ હોય તો તે ઇષ્ટ-ઉપદેશ નથી પણ અનીષ્ટ છે. જૈનદર્શનનો ઉપદેશ કહો..આત્માના હિતનો ઉપદેશ કહોઈષ્ટ ઉપદેશ કહો...વાજબી ઉપદેશ કહો...સત્યનો ઉપદેશ કહો...અનેકાન્તનો ઉપદેશ કહો કે સર્વજ્ઞ ભગવાનનો ઉપદેશ કહો...તે આ છે કે જીવ ને અજીવ દરેક વસ્તુમાં પોતપોતાની ક્રમબધ્ધ યોગ્યતાથી જ કાર્ય થાય છે, પરથી તેમાં કાંઈ પણ થતું નથી. વસ્તુ પોતાની ક્રમબધ્ધપર્યાયપણે પોતાની યોગ્યતાથી જ સ્વયં પરિણમી જાય છે, બીજી ચીજ તો ધર્માસ્તિકાયવ નિમિત્તમાત્ર છે. અહીં ધર્માસ્તિકાયનો દાખલો આપીને પૂજ્યપાદસ્વામીએ નિમિત્તનું સ્વરૂપ એકદમ સ્પષ્ટ કરી દીધું છે. ધર્માસ્તિકાય તો આખા લોકમાં સદાય એમ ને એમ સ્થિત છે; જે જીવ કે પુદગલો સ્વયં પોતાની યોગ્યતાથી જ ગતિ કરે છે તેમને તે નિમિત્તમાત્ર છે. ગતિરૂપે સ્વયંપરિણમતાને” જ નિમિત્ત છે, સ્વયં નહિ પરિણમતાને તે પરિમાવતું નથી, તેમ જ નિમિત્ત પણ થતું નથી. યોગ્યતા વખતે નિમિત્ત ન હોય તો?''—એમ શંકા કરનાર ખરેખર યોગ્યતાને કે નિમિત્તના સ્વરૂપને જાણતો નથી. જેમ કોઈ પૂછે કે જીવ-પુદ્ગલમાં ગતિ કરવાની યોગ્યતા તો છે, પણ ધર્માસ્તિકાય ન હોય તો?''–તો એમ પૂછનાર ખરેખર જીવ-પુદગલની યોગ્યતાને કે ધર્માસ્તિકાયને જાણતો નથી. કેમ કે ગતિ વખતે સદાય ધર્માસ્તિકાય નિમિત્તપણે હોય જ છે, જગતમાં ધર્માસ્તિકાય ન હોય એમ કદી બનતું નથી. “યોગ્યતા વખતે નિમિત્ત ન હોય તો ?' “ગતિની યોગ્યતા વખતે ધર્માસ્તિકાય ન હોય તો?' “પાણી ઊનું થવાની યોગ્યતા વખતે અગ્નિ ન હોય તો?' ‘માટીમાં ઘડો થવાની યોગ્યતા વખતે કુંભાર ન હોય તો ?' “જીવમાં મોક્ષ થવાની યોગ્યતા હોય પણ વજર્ષભનારાચસંહનન ન હોય તો?” Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008238
Book TitleGyan Svabhaav ane Gney Svabhaav
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size844 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy