SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ક્રમબધ્ધ છે-એમ ન માનતાં, કાંઈ પણ ફેરફાર કરવાનું જે માને છે તે લૌકિકજન છે, લોકોત્તર જૈનદષ્ટિ તેને રહેતી નથી. પોતાના જ્ઞાયકસ્વભાવ સામે નજર રાખીને આત્મા ક્રમબદ્ધજ્ઞાયકભાવપણે જ ઊપજે, અને પદાર્થોની ક્રમબદ્ધ થતી પર્યાયોને જાણે-આવો જે લોકોત્તર સ્વભાવ, તેને જે નથી માનતો તે ભલે સંપ્રદાય તરીકે જૈનમાં રહ્યો હોય તોપણ ભગવાન તેને અન્યમતિ-લૌકિકમતિ-એટલે કે મિથ્યાદષ્ટિ કહે છે. આ “લૌકિકમતિ'' કહેતાં કેટલાકને તે વાત કઠણ લાગે છે. પણ ભાઈ ! સમયસારમાં આચાર્ય ભગવાન પોતે કહે છે કે “યે વાત્માનું વર્તારમેવ પયંતિ તે નોવોત્તરિવા ન लौकिकतामतिवर्तंते; लौकिकानां परमात्मा विष्णु; सुरनारकादिकार्याणि करोति, तेषां तु स्वात्मा तानि करोतीत्यपसिद्धांतस्य समत्वात्। ततस्तेषामात्मनो નિત્યકર્તુત્વાગ્રુપ*માત્ ભૌાિનામિવ નોવોત્તરિવાબામપિ નાસ્તિ મોક્ષ:'' (ગાથા ૩ર૧-૩રર-૩ર૩ ટીકા) –જેઓ આત્માને í જ દેખે છે-માને છે, તેઓ લોકોત્તર હોય તો પણ લૌકિકતાને અતિક્રમતા નથી; કારણ કે લૌકિકજનોના મતમાં પરમાત્મા વિષ્ણુ દેવનારકાદિ કાર્યો કરે છે, અને તેમના (–લોકથી બાહ્ય થયેલા એવા મુનિઓના) મતમાં પોતાનો આત્મા તે કાર્યો કરે છે-એમ અપસિદ્ધાંતની (એટલે કે ખોટા સિદ્ધાંતની) બંનેને સમાનતા છે. માટે આત્માના નિત્ય ર્તાપણાની તેમની માન્યતાને લીધે, લૌકિકજનોની માફક, લોકોત્તર પુરુષોનો (મુનિઓનો ) પણ મોક્ષ થતો નથી. તેના ભાવાર્થમાં છે. જયચંદ્રજી પણ લખે છે કે "जो आत्माको कर्ता मानते हैं वे मुनि भी हों तो भी लौकिकजन सरीखे ही हैं, क्योंकि लोक ईश्वर को कर्ता मानते हैं और मुनियोंने भी आत्माको कर्ता मान लिया, इस तरह इन दोनों का मानना समान हुआ। इस कारण जैसे लौकिकजनों के मोक्ष नहीं है उसी तरह उन मुनियों के भी मोक्ष नहीं।'' જુઓ, આમાં મૂળ સિદ્ધાંત છે. દિગંબર જૈન સંપ્રદાયનો દ્રવ્યલિંગી સાધુ થઈને પણ, જો “આત્મા પરને કરે’ એમ માને, તો તે પણ લૌકિકજનોની જેમ મિથ્યા-દષ્ટિ જ છે. હવે, આત્મા પરનો ક્ત છે-એમ કદાચ સીધી રીતે ન કહે, પણ -નિમિત્ત હોય તે પ્રમાણે કાર્ય થાય એમ માને, અથવા આપણે નિમિત્ત થઈને પરનું કાર્ય કરી દઈએ-એમ-માને, -અથવા રાગના વ્યવહારના-અવલંબનથી નિશ્ચય શ્રદ્ધા-જ્ઞાન થવાનું માને, -મોક્ષમાર્ગમાં પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય એમ માને, -અથવા રાગને લીધે જ્ઞાન થયું એટલે કે રાગ ક્ત ને જ્ઞાન તેનું કાર્ય-એમ માને, Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008238
Book TitleGyan Svabhaav ane Gney Svabhaav
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size844 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy