SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૭૬ ચર્ચા નં. ૭ જામનગર તા. ૨૧-૯-૯૧ નય દ્વારા વસ્તુનો નિર્ણય કરે છે. નિશ્ચયનયે આવો ધર્મ છે અને વ્યવહારનયે આવો ધર્મ છે. એમ બે નય દ્વારા પ્રમાણરૂપ દ્રવ્યનો વિષય ફરમાવે છે. આત્મામાં બે પડખાં છે. એક સામાન્ય પડખું અને એક વિશેષ પડખું. બે પડખાં હોવાથી તેને જાણનાર બે નયો હોય છે. સામાન્યને જાણનારી નિશ્ચયનય અને વિશેષ પડખાને જાણનારી વ્યવહારનય. એમ પ્રથમ બે નય દ્વારા જેમ છે એમ જાણે. પછી એમાં યમાં વિધિ-નિષેધના વિકલ્પ ઉઠે. પછી નિષેધનો વિકલ્પ જાય ને વિધિનો વિકલ્પ રહી જાય છેલ્લે છેલ્લે. પછી વિધિનો-નિશ્ચયનયનો વિકલ્પ છૂટે અને આત્માના આશ્રયે અનુભવ થાય. આવી એક પ્રક્રિયા આમ ભજી જાય છે. હવે જેમ નયાતિક્રાંત થઈને અનુભવ આવે છે. એટલે સમ્યગ્દર્શન થાય છે. એટલે કોઈ નયોના વિકલ્પ રહેતા નથી. અનુભવના કાળમાં આવી રીતે પ્રમાણ, નય, નિક્ષેપના વિકલ્પો છૂટી જાય છે. એમ એવી રીતે નયાતીતમાં “જ' શ્રેણી આવે છે. પહેલાં ઉપશમ શ્રેણી આવે પછી ક્ષપક થાય. ને પછી ઉપશમ ન આવે તો ક્ષપકશ્રેણી પછી થઈ જાય. એક પુસ્તક બહાર પડયું છે, “ચર્ચા સંગ્રહ.” એ ચર્ચાસંગ્રહમાં એમ આવ્યું છે કે એક ભવમાં વધારેમાં વધારે ઉપશમ શ્રેણી આવે તો બે વાર આવે. અને મોક્ષ થવાનો કાળ લાંબો હોય તો કોઈ જીવને વધારેમાં વધારે ઉપશમ શ્રેણી આવે તો ચાર વખત આવે. ક્ષપક શ્રેણી તો એક જ વખત આવે. ક્ષપકશ્રેણીનાં બે પ્રકાર ન હોય. શ્રેણી આવી એટલે કેવળજ્ઞાન થાય. આ તો ઉપશમ શ્રેણીનો ઉલ્લેખ આમાં આવી ગયો. એટલે કહે છે નયાતિક્રાંતમાં જ જેમ નયાતીતમાં સમ્યગ્દર્શન જ્ઞાન થાય એમ નયાતીતમાં જ શ્રેણી આવીને કેવળજ્ઞાન થાય. નયથી જ્યાં સમ્યગ્દર્શન ન થાય, નયોના વિકલ્પથી સમ્યગ્દર્શન જો ન થતું હોય ત્યાં નયથી ચારિત્ર તો કેમ આવે? એને નયોના વિકલ્પ છે ને તે શુભભાવ છે. નયોના વિકલ્પ વખતે તેને અશુભભાવ ન હોય, એ ભલે વ્યવહારનયનો વિકલ્પ હોય તો પણ એ શુભરાગ છે. નિશ્ચયનયનો વિકલ્પ પણ શુભરાગ છે. સ્વરૂપનો વિચાર કરતી વખતે એને પાપના પરિણામ ન હોય. જગતના પદાર્થોના વિચાર વખતે એને પાપના પરિણામ હોય છે. દુકાનનો વિચાર, કુટુંબનો વિચાર, વ્યાપારનો વિચાર. પણ આ નયનો વિચાર જ્યારે કરે, અને નય તો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy