________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૩] આત્મા પર્યાયનો કર્તા છે એવો ઉપચારનો દોષ આવી જશે.
માટે પર્યાયનો કર્તા પર્યાય સ્વભાવથી જ છે. નિશ્ચયનયે પર્યાય પર્યાયને કરે છે એમ પણ ન લેવું. કોઈ નયથી સ્વરૂપની પ્રાપ્તિ નથી... જ્ઞાનથી સ્વરૂપની પ્રાપ્તિ છે. સ્વભાવથી સ્વભાવની પ્રાપ્તિ છે.
પર્યાયને એના સ્વભાવથી જોતાં એની કરવાની બુદ્ધિ છુટી જાય છે. ને કરવાનો ઉપચાર પણ છુટી જાય છે.
કાર્ય સ્વયં થતું હોય એમાં બીજો કરે એવા ઉપચારનો અવકાશ જ કયાં છે? બસ સ્વયંથી થાય છે. આત્મા જ્ઞાતા થઈ જાય છે.
નયના વિકલ્પોમાં એ વિકલ્પનો કર્તા બની જાય છે, રાગનો કર્તા બની જાય છે. એને ખબર જ નથી પડતી. જો વિકલ્પ છુટે તો જ્ઞાન પ્રગટ થાય, તો જ્ઞાનનો કર્તા બને. જ્ઞાતા થઈ જાય છે-આ રહસ્ય છે.
શ્રી સમયસાર શ્લોક-૯૫. શ્લોકાર્ધ - [વિજ્યવ: પરે પ્રર્તા] વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે અને [ વિહન્ત: હેવન ] વિકલ્પ જ કેવળ કર્મ છે; (બીજા કોઈ કર્તા-કર્મ નથી; ) [ સવિસ્વચ] જે જીવ વિકલ્પસહિત છે તેનું [તૃર્મવં] કર્તાકર્મપણું [નોr] કદી [નશ્યતિ ન] નાશ પામતું નથી.
ભાવાર્થ- જ્યાં સુધી વિકલ્પભાવ છે ત્યાં સુધી કર્તાકર્મભાવ છે; જ્યારે વિકલ્પનો અભાવ થાય ત્યારે કર્તાકર્મભાવનો પણ અભાવ થાય છે. ૯૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com