________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૦] આવ્યો ને પર્યાય સ્વભાવ ખ્યાલમાં આવ્યો તો ઉપચાર ઓળંગી ગયો.
આહાહા... કર્તાપણાનો ઉપચાર જ્યાં ગયો ત્યાં સાક્ષાત્ જ્ઞાતા”
થયો.
આ આત્મા સ્વભાવથી જ અકારક અવેદક છે. એને સમજાવવા માટે નથી સમજાવે છે પણ નથી સમજતાં વિકલ્પની ઉત્પત્તિ થાય છે. આત્મા સુધી ઉપયોગ પહોંચી શકતો નથી, જ્ઞાન લંબાઈ ને આત્માથી અભેદ થઈ અનુભવ થવો જોઈએ, પરંતુ નયના વિકલ્પો અનુભવમાં બાધક થાય છે. જીવ પક્ષાનીકાંત થઈ શકતો નથી, વ્યવહારનય તો અન્યથા કથન કરે છે. પણ નિશ્ચયનય તો સાચું કથન કરે છે. જેવો આત્મા છે એવું કથન કરે છે. માટે એ નય દ્વારા નિર્ણય થાય પણ સ્વભાવથી દૂર રહીને સ્વભાવ બતાવે છે. એ નય સ્વભાવથી તન્મય નથી થતી. નય વિકલ્પાત્મક છે. માત્ર અંગુલી નિર્દેશ કરે પણ ત્યાં સુધી પહોંચવા છતાં પણ અનુભવ ન થાય.
પ્રશ્ન- તો પછી એ નયના વિકલ્પ કેમ છુટે?
ઉત્તર- નયનું અવલંબન લઈને જે નિર્ણય થયો હતો એ નયને છોડીને તમે સ્વભાવ તરફ ચાલ્યા જાઓ.
આત્મા નિશ્ચયનયથી અકર્તા નથી, સ્વભાવથી જ અકર્તા છે.
આત્મા નિશ્ચયનયથી શુદ્ધ નથી, સ્વભાવથી જ શુદ્ધ છે. અનાદિ અનંત સ્વભાવથી જ મુક્ત છે, પરિપૂર્ણ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com