________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [૧૧] * આત્મા શુદ્ધ છે. કઈ નથી? આત્મા સ્વભાવથી જ શુદ્ધ છે. * આત્મા મુક્ત છે. કઈ નથી? આત્મા સ્વભાવથી જ મુક્ત છે. * આત્મા પરિપૂર્ણ છે. કઈ નથી? આત્મા સ્વભાવથી જ પરિપૂર્ણ છે.
સ્વભાવની સિદ્ધિ માટે નય નથી. સ્વભાવથી જ સ્વભાવની સિદ્ધિ થાય છે. નયથી સ્વભાવની સિદ્ધિ ન થાય. નયથી તો સ્વભાવનું માત્ર અનુમાન થાય, પણ અનુભવ ન થાય.
દ્રવ્યલિંગી મુનિ અહીં ભૂલ્યો, અહીં રોકાણો. એને એમ સાચું લાગ્યું કે હું તો નિશ્ચયનયે શુદ્ધ છું-અકર્તા છે. જેવો સ્વભાવ છે, એવા જ સ્વભાવને હું નિશ્ચયનય વડે જાણું છું, માનું છું. આ દ્રવ્યલિંગીની સૂક્ષ્મ ભૂલ છે. અને અનુભવી ભૂલને ભાંગી નાખે છે. જ્યારે દ્રવ્યલિંગી ભૂલને ભાંગી શકતો નથી. કેમ કે એ નયના સહારે સ્વભાવનો વિચાર કરે છે. નયની મદદ લે છે. સાપેક્ષ સ્વરૂપ લક્ષમાં લ્ય છે પરંતુ સ્વરૂપ નિરપેક્ષ છે. સ્વરૂપને કોઈના સહારાની જરૂરત નથી. આત્મા બંધ અને મોક્ષના ભાવથી રહિત છે, –તે આ.
નયથી બંધ, મોક્ષની સિદ્ધિ થાય છે. જ્યારે સ્વભાવથી બંધમોક્ષની સિદ્ધિ જ થતી નથી. હું તો સ્વભાવથી જ અનાદિ અનંત મુક્ત છું.
આત્મા કર્યા છે એ એક પક્ષ છે. આત્મા અકર્તા છે એ બીજો પક્ષ છે. ચિસ્વરૂપ જીવ વિષે નયોના આ બે પક્ષપાત છે. ખરેખર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com