________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨] જેવી રીતે અભિમન્યુને ચક્રવ્યુહમાં પ્રવેશ કરતાં આવડતું હતું પરંતુ તેમાંથી બહાર નિકળતા ન આવડયું તેમ અજ્ઞાની શાસ્ત્રના અવલંબને નયચક્રમાં પ્રવેશે છે પરંતુ તેમાંથી પાર થઈ પક્ષીતિક્રાંત થવાની વિધિથી અજાણ છે.
પ્રસ્તુત ચર્ચામાં પક્ષીતિક્રાંત થવાની ગૂઢ વિધિ સમજાવતા પૂજ્ય ભાઈશ્રીએ ફરમાવ્યું કે દ્રવ્યસ્વભાવને સ્વભાવથી જે અને પર્યાયસ્વભાવને પણ સ્વભાવથી જો. કોઈ નયથી ન જો. નયથી જોતાં સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. અજ્ઞાનીજીવો શાસ્ત્રનો ઘણો અભ્યાસ કરવા છતાં સ્વભાવની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શન અને સમ્યકજ્ઞાનથી વંચિત છે. તેઓ કેવળ નયોના વિકલ્પોમાં રોકાયેલાં છે અને નયાતિક્રાંત થવાની કળાથી અજાણ છે.
નયવિકલ્પમાં અટકેલા જીવો નયાતિક્રાંત થઈ આત્માને સાક્ષાત અનુભવી શકે એટલા માટે પરમકૃપાળુ ભાઈશ્રીએ આ વિકલ્પાંતકારી નિર્વિકલ્પ થવાની એટલે નયાતીત થઇ પક્ષાતિક્રાંત થવાની રહસ્યાત્મક કળા (વિધિ) દર્શાવેલ છે.
પૂ. ભાઈશ્રીના હૃદયમાં આવેલો આ ઉત્કૃષ્ટ ભાવ, સંતોના આગમમાંથી મળી જાય છે. કેમ કે વસ્તુના સ્વરૂપ માટે અને સ્વરૂપના અનુભવ માટે અનંત જ્ઞાનીઓનો એક જ મત હોય છે.
આ ચર્ચા નયથી પક્ષીતિક્રાંત થઈને પ્રત્યક્ષ અનુભવ કરવાના હેતુએ થઈ છે. પક્ષાતિક્રાંત થયેલો આત્મા શુદ્ધાત્માની દષ્ટિપૂર્વક બે નયોના વિષયને જાણે છે. કોઈ નય દુભાય નહીં અને પક્ષ રહે નહીં અને બે નયોનો જ્ઞાતા થઈ જાય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com