________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ ]
[દ્રવ્ય-સંગ્રહ
૪. અજીવતત્ત્વ સંબંધી ભૂલ:- મિથ્યા અભિપ્રાયવશ જીવ એવું માને છે કે શરીર ઉત્પન્ન થવાથી મારો જન્મ થયો, શરીરનો નાશ થવાથી હું મરી જઈશ, શરીર-ધનાદિ જડ પદાર્થોમાં પરિવર્તન થતાં પોતાનામાં ઈષ્ટ-અનિષ્ટ પરિવર્તન માનવું, શરીરની ઉષ્ણ અવસ્થા થતાં મને તાવ આવ્યો, શરીરની ભૂખ-તૃષાદિરૂપ અવસ્થા થતાં મને ભૂખતૃષાદિ થઈ રહ્યાં છે એમ માનવું, શરીર કપાઈ જતાં હું કપાઈ ગયો– ઈત્યાદિરૂપ અજીવની અવસ્થાને અજ્ઞાની જીવ પોતાની અવસ્થા માને છે. અજીવને પોતાનું સાધન-કારણ-આધાદિ માને છે, આ તેની અજીવતત્ત્વ સંબંધી ભૂલ છે; કારણ કે તે અજીવને જીવ માને છે. આમાં અજીવને સ્વતત્ત્વ (જીવતત્ત્વ) સ્વીકારતાં તે અજીવતત્ત્વનો અસ્વીકાર કરે છે.
૫. જીવની મિથ્યાદર્શનરૂપ પ્રવૃત્તિ:- હરકોઈ પ્રકારે પોતાને ને શરીરને તે એકરૂપ માને છે. શરીરના અંગરૂપ સ્પર્શનાદિ દ્રવ્યઇંદ્રિયો છે. અજ્ઞાની જીવ તે સર્વને એકરૂપ માની એમ માને છે કે “ હાથ વગેરે સ્પર્શ વડે મેં સ્પર્યું, જીભ વડે મેં ચાખ્યું, નાસિકા વડે મેં સંધ્યું, નેત્ર વડે મેં દીઠું, કાન વડે મેં સાંભળ્યું. દ્રવ્યમન તથા જ્ઞાનને એકરૂપ માની તે એમ માને છે કે મેં મન વડે જાણ્યું” એમ અનેક પ્રકારે માત્ર અચેતન જેવો બની પર્યાયમાં જ અહંબુદ્ધિ ધારે છે.
૬. જીવની મિથ્યાચારિત્રરૂપ પ્રવૃત્તિ:- (૧) પોતાનો સ્વભાવ તો જ્ઞાતા-દષ્ટા છે. હવે પોતે કેવળ દેખવાવાળો- જાણવાવાળો તો રહેતો
૧. મોક્ષમાર્ગ પ્રકાશક અધિકાર ૪, પૃ. ૮૫.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com