________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ
પ્રશ્ન:- જિનમાર્ગમાં બન્ને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું
કારણ? જવાબ:- જિનમાર્ગમાં કોઈ ઠેકાણે નિશ્ચયનયની મુખ્યતા સહિત
વ્યાખ્યાન છે તેને તો “સત્યાર્થ એમ જ છે” એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું; અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે. પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બંને નયો ગ્રહણ કરવા કહ્યાં નથી.
(મોક્ષમાર્ગ પ્રકાશક-પૃ. ૨૫૬)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com