________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૧
જીવાધિકાર] પર્યાયો છે. પુદ્ગલદ્રવ્ય જીવથી સર્વપ્રકારે અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળે, અને ભાવે અત્યંત ભિન્ન છે. જડપ્રાણો સંયોગરૂપ હોવાથી અનિત્ય છે.
(૨) જીવને નિશ્ચયનયથી પ્રાણ-જીવને નિશ્ચયનયથી અર્થાત્ ખરેખર સદા ચેતનાપ્રાણ છે. આ ચેતનાપ્રાણના કારણે જીવ ખરેખર અનાદિથી અનંતકાળ સુધી જીવે છે. આ ચેતનાપ્રાણ શાશ્વત હોવાથી નિત્ય છે.
(૩) નિશ્ચયનય-વ્યવહારનયનું સ્વરૂપ-નયોનું સ્વરૂપ ભૂમિકામાં પારા ૧થી ૧૫ સુધી આપ્યું છે તે વાંચી લેવું. જોકે ખરેખર જીવ સદાય ચેતના (-ભાવ) પ્રાણથી જીવે છે તોપણ સંસારદશામાં વ્યવહારજીવત્વના કારણભૂત ઈન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણોથી “વ્યવહારનયે” જીવે છે-એમ દ્રવ્યપ્રાણોના સંયોગનું જ્ઞાન કરાવવા માટે કહેવામાં આવે છે. તે દ્રવ્યપ્રાણો આત્માનું સ્વરૂપ બિલકુલ નથી કારણ કે તેઓ પુદ્ગલદ્રવ્યથી બનેલા છે.
(૪) બન્ને નયો એકીસાથે - આ બન્ને નયોના વિષયને પરસ્પર વિરોધ હોવા છતાં, તે વિષયોને સાથે રહેવામાં વિરોધ નથી.
(૫) જીવને પૌદ્ગલિક પ્રાણોની સંતતિનો હેતુ - જ્યાં સુધી દેહપ્રધાન વિષયોમાં મમત્વ છોડતો નથી ત્યાં સુધી સંસારી આત્મા ફરી ફરીને અન્ય અન્ય પ્રાણો ધારણ કરે છે. માટે જીવ ઉપયોગમાત્ર આત્માને ધ્યાવે તો તેને પ્રાણો કઈ રીતે અનુસરે? અર્થાત્ તેને પ્રાણોનો સંબંધ
૧. પ્રવચનસાર ગા. ૧૪૭, પૃ. ૨૫૬-૨૫૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com