________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સૌ આત્માને શાંતિ શાંતિ શાંતિ થાવ
કોઈ જીવને દુ:ખ થાય એ હોય નહિ, બધા જીવો ૫૨માનંદસ્વરૂપ છે. જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્મા છે. એના સ્વભાવમાં દુ:ખ કાં છે? ભાઈ! ઊંધી શ્રદ્ધા કરતાં પર્યાયમાં તને દુ:ખ થશે. સત્યની પ્રરૂપણા કરતાં એ ન રુચે ને તને દુ:ખ થાય એ અમે ઈચ્છીએ નહિ. માફ કરજે ભાઈ! આહાહા! આવો મારગ છે. કોઈ પણ જીવ એકેન્દ્રિયથી માંડીને તે જ ભવે સિદ્ધ થનાર બધા ય જીવો પરમાનંદસ્વરૂપ આત્મા છે પછી કોનો અનાદર હોય! મને દુઃખ થાય તો એ ન ગમે તેમ બીજાને દુ:ખ થાય એ પણ કેમ ઈચ્છીએ ! ઊંધી શ્રદ્ધા-પ્રરૂપણા કરીને દુ:ખી થાય એને કેમ અનુમોદાય ? સાધુપણાની ભગવાને કહેલી સત્ય પ્રરૂપણા થતાં, અઠ્ઠાવીસ મૂળગુણ ચોક્ખા ન હોય એને સાધુ કહેવાય નહિ, દ્રવ્યલિંગી પણ કહેવાય નહિ–એવી સત્ય પ્રરૂપણાથી કોઈને દુ:ખ થાય એમ ન હો! ભાઈ! બાપુ! ઘાસનું તણખલું જરા વાગે તોપણ દુ:ખ થાય તો મિથ્યાશ્રદ્ધાના કેટલા દુ:ખ તને થાય! એ કેમ અનુમોદાય ? સૌ આત્માને શાંતિ... શાંતિ... શાંતિ... થાવ. અમારે તો કોઈનો વિરોધ નથી. કોઈ અમારો વિરોધ કરતું નથી. બધા આત્મા દ્રવ્યસ્વભાવે તો સાધર્મી છે. વિરોધતાનો ભાવ પોતાને નુકશાન કરે છે, બીજાને નહિ. અને અવિરોધતાનો ભાવ પણ પોતાને લાભ કરે છે બીજાને નહિ. આહાહા! આત્મા તો સર્વથી ઉદાસ... ઉદાસ છે.
***
- કરુણામૂર્તિ પૂજ્ય ગુરુદેવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com