________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ ]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ છે; તે તત્ત્વમાં મૂઢ છે. એવા બહિરામા જીવો અનંતા છે; જગતના જીવોનો મોટો ભાગ મિથ્યાષ્ટિ-બહિરાત્મા છે. પણ બહિરાત્મપણું તે જીવનું ખરું સ્વરૂપ નથી, એટલે તેને છોડીને જીવ પોતે અંતરાત્મા તથા પરમાત્મા થઈ શકે છે.
* અંતરાત્માનું સ્વરૂપ * દેથી ભિન્ન અંતરમાં આત્મસ્વરૂપને જે જાણે છે તે અંતરાત્મા છે. નરકમાં પણ જે સમ્યગ્દષ્ટિ છે તે અંતરાત્મા છે. દેડકું, હાથી, વાંદરો, સિંહ વગેરે તિર્યંચોમાં પણ જે જીવો દેહથી ભિન્ન આત્માને અંતરમાં અનુભવે છે તેઓ અંતરાત્મા છે. એવા અંતરાત્મા અસંખ્યાતા છે. ચોથાથી બારમા ગુણસથન સુધીના જીવો અંતરમાત્મા છે. તેમાં જેઓ દ્વિવિધ પરિગ્રહથી રહિત છે-અંતરમાં મિથ્યાત્વાદિ મોહથી રહિત છે ને બહારમાં વગ્નાદિથી રહિત છે, અને શુદ્ધોપયોગ વડે નિજસ્વરૂપના ધ્યાનમાં એકાગ્ર છે એવા મુનિવરો તે ઉતમ અંતરાત્મા છે, એટલે કે સાતમા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધીના જીવો ઉત્તમ અંતરાત્મા છે; અંતરમાં આત્માના અનુભવ સહિત જેઓ દેશવ્રતી-શ્રાવક છે કે મહાવ્રતી–મુનિ છે તેઓ મધ્યમ-અંતરાત્મા છે, એટલે કે પાંચમા ને છઠ્ઠા ગુણસ્થાનવર્તી જીવો મધ્યમ-અંતરાત્મા છે; અને અવિરત-સમ્યગ્દષ્ટિ એટલે જેને વ્રતાદિક ન હોવા છતાં પણ અંતરમાં દેહથી ભિન્ન શુદ્ધ આત્માના અનુભવરૂપ સમ્યગ્દર્શન થયું છે તે જીવો જઘન્ય-અંતરાત્મા છે. આ રીતે ઉત્તમ-મધ્યમ અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com