SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્ર સ્તા વ ના સંસારનાં જીવોને દુ:ખથી છૂટવાનો ને સુખની પ્રાપ્તિનો પંથ બતાવનાર આ “છબુઢાળા” આજે જૈન સમાજમાં ખૂબ પ્રચલિત છે, અનેક પાઠશાળાઓમાં તે શીખવાય છે; તેમજ કેટલાય સ્વાધ્યાય પ્રેમી જિજ્ઞાસુઓ તે કંઠસ્થ પણ કરે છે. આ પુસ્તકમાં પ્રથમ તો, વીતરાગવિજ્ઞાનને ભૂલેલો જીવ સંસારમાં ચારગતિમાં કેવાકેવા દુઃખો પામ્યો તે બતાવ્યું છે, ને તે દુઃખના કારણરૂપ મિથ્યાત્વાદિનું સ્વરૂપ સમજાવીને તેને છોડવાનો ઉપદેશ દીધો છે; ત્યારપછી તે મિથ્યાત્વાદિ છોડવા માટે મોક્ષના કારણરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું સ્વરૂપ સમજાવીને તેની આરાધનાનો ઉપદેશ દીધો છે. આમ આ નાના પુસ્તકમાં જીવોને હિતકારી પ્રયોજનભૂત ઉપદેશનું સુગમ સંકલન છે. અને તેમાં પણ આ ત્રીજી ઢાળમાં તો સમ્યકત્વનું સ્વરૂપ સમજાવીને તેની પ્રાપ્તિ માટે ખાસ પ્રેરણા આપતાં કહ્યું છે કે સમ્યગ્દર્શન વગર જ્ઞાન કે ચારિત્ર સાચાં હોતાં નથી, – સમ્યગ્દર્શન જ મોક્ષમહેલનું પ્રથમ પગથિયું છે, –માટે હે ભવ્ય જીવો! આ નરભવ પામીને તમે કાળ ગુમાવ્યા વગર અત્યંત પ્રયત્નપૂર્વક સમ્યકત્વને ધારણ કરો. આવી આ “કહઢાલા” ની હિંદી-ગુજરાતી-મરાઠીમાં જુદા જુદા પ્રકાશકો દ્વારા વીસેક આવૃત્તિઓ છપાઈ ચૂકી છે. અને જૈન સમાજમાં સર્વત્ર તેનો પ્રચાર છે. આપણી સંસ્થાના માનનીય પ્રમુખશ્રી નવનીતલાલભાઈ ચુનીલાલ જવેરીનું પણ આ એક Please inform us of any errors on [email protected]
SR No.008228
Book TitleDhhadhala Pravachana 3
Original Sutra AuthorN/A
AuthorDaulatram Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1972
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy