________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભેદજ્ઞાન-ભજનાવલી શ્રી સદગુરુદેવ સ્તુતિ
(હરિગીત) સંસાર સાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો? ગુરુ કહાન તું નાવિક મળ્યો.
(અનુપ ) અહો ! ભક્ત ચિદાત્માના સીમંધર વીર-કુંદના! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી) સદા દષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને શક્તિ માંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિધન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત) હૈયું “સત સત, જ્ઞાન જ્ઞાન” ધબકે ને વ્રજવાણી છૂટે, જ વજ સુમુમુક્ષુ સત્વ ઝળકે, પદ્રવ્ય નાતો તૂટે; રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા) નિત્ય સુધાઝરણ ચંદ્ર! તને નમું હું, કરૂણા અકારણ સમુદ્ર ! તને નમું હું; હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવન શિલ્પી ! તને નમું હું
(સ્ત્રગ્ધરા) ઊંડી ઊંડી, ઊંડથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહેતી, વાણી ચિમૂર્તિ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું મનરથ મનનો; પૂરજો શક્તિશાળી !
દ્રવ્ય પર્યાયને કરતું નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com