________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભેદજ્ઞાન-ભજનાવલી
શ્રી સમયસારજી-સ્તુતિ - ૧
(હરિગીત )
સંસારી જીવનાં ભાવ મરણો ટાળવા કરૂણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તે સંજીવની; શોષાતી દેખી સરિતને કરૂણાભીના હ્રદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રામૃત તણે ભાજન ભરી. (અનુષ્ટુપ )
કુંદ બુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ, તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. (શિખરિણી )
અહો ! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડ પરિણતિ. (શાર્દૂલવિક્રીડિત )
તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. (વસંતતિલકા )
સૂણ્યે તને ૨સ નિબંધ શિથિલ થાય, જાણ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલ જ્ઞાયકદેવ રીઝે. (અનુષ્ટુપ )
બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.
*
પગ મૂકતાં પાપ છે ને જોતાં ઝેર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
૩૩