________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તથા તેમનો દિવ્ય ધ્વનિ દ્વારા તત્વનો ઉપદેશ થવા લાગ્યો, જેથી ભવ્ય
જીવોને મુક્તિના માર્ગનું જ્ઞાન થયું. પુત્રી- તો શું તમે તેમની જ સ્તુતિ કરો છો? હું પણ કરતી રહીશ, શું તેઓ મને
પણ મુક્તિનો માર્ગ બતાવશે? બા- જરૂર કરતી રહેજે. તેઓ તો કેટલાક દિવસ પછી મુક્ત થઈ ગયા હતા.
અર્થાત્ ધર્મસભા (સમવસરણ) આદિ પણ છોડીને સિદ્ધ થઈ ગયા. પણ તેમણે બતાવેલો મુક્તિનો માર્ગ તો આજ સુધી પણ જ્ઞાનીઓ દ્વારા આપણને મળેલો છે અને જે એમણે બતાવેલા મોક્ષના માર્ગે ચાલે છે તેઓ જ તેમના સાચા ભક્ત છે અને તે પોતે ભગવાન પણ બની શકે છે.
પ્રશ્ન
૧. ભક્તામર સ્તોત્રમાં કોની સ્તુતિ છે? ૨. ભગવાન આદિનાથનો સંક્ષિપ્ત પરિચય આપો. ૩. અક્ષય ત્રીજના પર્વ વિશે તમે શું જાણો છો? ૪. રાજા ઋષભદેવ ભગવાન આદિનાથ કેવી રીતે બન્યા તથા તેમને આદિનાથ શા
માટે કહેવામાં આવે છે? ૫. તેમને વૈરાગ્ય કેવી રીતે થયો? ૬. શું તેમણે બતાવેલો મુક્તિનો માર્ગ આપણે પ્રાપ્ત કરી શકીએ? જો હા, તો કેવી
રીતે ?
૨) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com