________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
તારે શુદ્ધિ વધારવી હોય. દુઃખથી છૂટવાની ભાવના હોય, તો અધિક ગુણવાળા કે સરખા ગુણવાળાના સંગમાં વસજે.
લૌકિક સંગ તારો પુરુષાર્થ મંદ પડવાનું કારણ થશે. વિશેષ ગુણીનો સંગ તારા ચૈતન્યતત્ત્વને નિહાળવાની પરિણતિ વિશેષ વધવાનું કારણ થશે.
અચાનક આવી પડેલા અસત્સંગમાં તો પોતે પુરુષાર્થ રાખી જુદો રહે, પણ પોતે રસપૂર્વક જો અસત્સંગ કરે તો તેની પરિણતિ મંદ પડી જાય.
-આ તો સ્વરૂપમાં ઝૂલતા મુનિઓને (આચાર્યદેવની) ભલામણ છે. નિશ્ચય-વ્યવહારની સંધિ જ એવી છે. આ પ્રમાણે પોતાની ભૂમિકાનુસાર બધાએ સમજી લેવાનું છે. ર૨૯.
આત્મા તો આશ્ચર્યકારી ચૈતન્યમૂર્તિ! પહેલાં ચારે બાજુથી તેને ઓળખી, પછી નય-પ્રમાણ વગેરેના પક્ષ છોડી અંદરમાં ઠરી જવું. તો અંદરથી જ મુક્ત સ્વરૂપ પ્રગટ થશે. અંદર સ્વરૂપમાં ઠરી ગયેલા જ્ઞાનીઓ જ સાક્ષાત્ અતીન્દ્રિય આનંદામૃતને અનુભવે છે –‘ત વ. સાક્ષાત્ સમૃત પિવત્તિ'. ૨૩).
Please inform us of any errors on rajesh@atmadharma.com