________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
ચૈતન્યનો મહિમા અને સંસારનો મહિમા બે સાથે ન રહી શકે. કેટલાક જીવો માત્ર ક્ષણિક વૈરાગ્ય કરે કે સંસાર અશરણ છે, અનિત્ય છે, તેમને ચૈતન્યની સમીપતા ન થાય. પણ ચૈતન્યના મહિમાપૂર્વક જેને વિભાવોનો મહિમા છૂટી જાય, ચૈતન્યની કોઈ અપૂર્વતા લાગવાથી સંસારનો મહિમા છૂટી જાય, તે ચૈતન્યની સમીપ આવે છે. ચૈતન્ય કોઈ અપૂર્વ ચીજ છે; તેની ઓળખાણ કરવી, તેનો મહિમા કરવો. ૧૭૧.
૫૩
*
જેમ કોઈ રાજમહેલને પામી પાછો બહાર આવે તો ખેદ થાય, તેમ સુખધામ આત્માને પામી બહાર આવી જવાય તો ખેદ થાય છે. શાંતિ અને આનંદનું સ્થાન આત્મા જ છે, તેમાં દુઃખ અને મલિનતા નથી –એવી દષ્ટિ તો જ્ઞાનીને નિરંતર રહે છે. ૧૭૨.
*
આંખમાં કણું ન સમાય, તેમ વિભાવનો અંશ હોય ત્યાં સુધી સ્વભાવની પૂર્ણતા ન થાય. અલ્પ સંજ્વલનકષાય પણ છે ત્યાં સુધી વીતરાગતા અને કેવળજ્ઞાન ન થાય. ૧૭૩.
*
‘હું છું ચૈતન્ય.’ જેને ઘર મળ્યું નથી એવા
Please inform us of any errors on rajesh@atmadharma.com