________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
સહુજ તત્ત્વ અખંડિત છે. ગમે તેટલો કાળ ગયો, ગમે તેટલા વિભાવ થયા, તોપણ પરમ પરિણામિક ભાવ એવો ને એવો અખંડ રહ્યો છે; કોઈ ગુણ અંશે પણ ખંડિત થયો નથી. ૧૧ર.
મુનિ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત સ્વભાવમાં ડૂબકી મારે છે. અંદર વસવાટ માટે મહેલ મળી ગયો છે, તેની બહાર આવવું ગમતું નથી. કોઈ પ્રકારનો બોજો મુનિ લેતા નથી. અંદર જાય તો અનુભૂતિ અને બહાર આવે તો તત્ત્વચિંતન વગેરે. સાધકદશા એટલી વધી ગઈ છે કે દ્રવ્ય તો કૃતકૃત્ય છે જ પરંતુ પર્યાયમાં પણ ઘણા કૃતકૃત્ય થઈ ગયા છે. ૧૧૩.
જેને ભગવાનનો પ્રેમ હોય તે ભગવાનને જોયા કરે. તેમ ચૈતન્યદેવનો પ્રેમી ચૈતન્ય ચૈતન્ય જ કર્યા કરે. ૧૪૪.
ગુણભેદ પર દષ્ટિ કરતાં વિકલ્પ જ ઉત્પન્ન થાય છે, નિર્વિકલ્પતા-સમરસતા થતી નથી. એક ચૈતન્યને સામાન્યપણે ગ્રહણ કરે; તેમાં મુક્તિનો માર્ગ પ્રગટ થશે. જાદું જાદું ગ્રહણ કરવાથી અશાંતિ
Please inform us of any errors on rajesh@atmadharma.com