________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૪
બહેનશ્રીનાં વચનામૃત
આ તો પંખીના મેળા જેવું છે. ભેગાં થયેલાં બધાં છૂટાં પડી જશે. આત્મા એક શાશ્વત છે, બીજાં બધું અધ્રુવ છે; વિંખાઈ જશે. મનુષ્યજીવનમાં આત્માનું કલ્યાણ કરી લેવા જેવું છે. ૯૯.
હું અનાદિ-અનંત મુક્ત છું' એમ શુદ્ધ આત્મદ્રવ્ય પર દષ્ટિ દેતાં શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. દ્રવ્ય તો મુક્ત છે, મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે” એમ દ્રવ્ય પ્રત્યે આલંબન અને પર્યાય પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ થતાં સ્વાભાવિક શુદ્ધ પર્યાય પ્રગટે જ છે. ૧OO.
સમ્યગ્દષ્ટિને એવો નિ:શંક ગુણ હોય છે કે ચૌદ બ્રહ્માંડ ફરી જાય તોય અનુભવમાં શંકા થતી નથી. ૧૦૧.
આત્મા સર્વોત્કૃષ્ટ છે, આશ્ચર્યકારી છે. જગતમાં તેનાથી ઊંચી વસ્તુ નથી. એને કોઈ લઈ જઈ શકતું નથી. જે છૂટી જાય છે તે તો તુચ્છ વસ્તુ છે, તેને છોડતાં તને ડર કેમ લાગે છે? ૧૦૨.
Please inform us of any errors on rajesh@atmadharma.com