________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
સંસારની અનેક અભિલાષારૂપ ક્ષુધાથી દુઃખિત મુસાફર! તું વિષયોમાં શા માટે ઝાવાં નાખે છે? ત્યાં તારી ભૂખ ભાંગે એવું નથી. અંદર અમૃતફળોનું ચૈતન્યવૃક્ષ પડ્યું છે તેને જો તો અનેક જાતનાં મધુર ફળ અને રસ તને મળશે, તું તૃત તૃત થઈશ. ૯૦.
અહો! આત્મા અલૌકિક ચૈતન્યચંદ્ર છે, જેનું અવલોકન કરતાં મુનિઓને વૈરાગ્ય ઊછળી જાય છે. મુનિઓ શીતળ-શીતળ ચૈતન્યચંદ્રને નિહાળતાં ધરાતા જ નથી, થાકતા જ નથી. ૯૧.
રોગમૂર્તિ શરીરના રોગો પૌદ્ગલિક છે, આત્માથી સર્વથા ભિન્ન છે. સંસારરૂપી રોગ આત્માની પર્યાયમાં છે; હું સહજ જ્ઞાયકમૂર્તિ છું' એવી ચૈતન્યભાવના, એ જ લઢણ, એ જ મનન, એ જ ઘોલન, એવી જ સ્થિર પરિણતિ કરવાથી સંસારરોગનો નાશ થાય છે. ૯૨.
જ્ઞાનીને દૃષ્ટિ દ્રવ્યસામાન્ય ઉપર જ પડી હોય છે, ભેદજ્ઞાનની ધારા સતત વહે છે. ૯૩.
ધ્રુવ તત્ત્વમાં એકાગ્રતાથી જ નિર્મળ પર્યાય
Please inform us of any errors on rajesh@atmadharma.com