________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૯
શરીર શરીરનું કાર્ય કરે છે, આત્મા આત્માનું કાર્ય કરે છે. બન્ને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે, તેમાં ‘આ શરીરાદિ મારાં ' એમ માની સુખ-દુઃખ ન કર, જ્ઞાતા થઈ જા. દેહને ખાતર અનંત ભવ વ્યતીત થયા; હવે, સંતો કહે છે કે તારા આત્માને ખાતર આ જીવન અર્પણ કર. પર.
*
નિવૃત્તિમય જીવનમાં પ્રવૃત્તિમય જીવન ન ગમે. શરીરનો રોગ મટવો હોય તો મટે, પણ તેને માટે પ્રવૃત્તિ ન ગમે. બહારનું કાર્ય ઉપાધિ લાગે, રુચે નહિ. ૫૩.
*
અનુકૂળતામાં નથી સમજતો તો ભાઈ ! હવે પ્રતિકૂળતામાં તો સમજ... સમજ. કોઈ રીતે સમજ... સમજ, ને વૈરાગ્ય લાવી આત્મામાં જા. ૫૪.
*
ચૈતન્યની ભાવના કદી નિષ્ફળ જતી નથી, સફળ જ થાય છે. ભલે થોડો વખત લાગે, પણ ભાવના સફળ
થાય જ. ૫૫.
*
જીવ પોતે આખો ખોવાઈ ગયો તે જોતો નથી, ને એક વસ્તુ ખોવાણી ત્યાં પોતે આખો ખોવાઈ
Please inform us of any errors on rajesh@atmadharma.com