________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૪
બહેનશ્રીનાં વચનામૃત
ઉપાડયે જ છૂટકો છે. સદ્ગુરુનાં ગંભીર અને મૂળ વસ્તુ સ્વરૂપ સમજાય એવાં રહસ્યોથી ભરપૂર વાકયોનું ખરો મુમુક્ષુ ખૂબ ઊંડું મંથન કરીને મૂળ માર્ગને શોધી કાઢે છે. ૩૮.
સહજ દશાને વિકલ્પ કરીને જાળવી રાખવી પડતી નથી. જો વિકલ્પ કરી જાળવી રાખવી પડે તો તે સહજ દશા જ નથી. વળી પ્રગટેલી દશાને જાળવવાનો કોઈ જાદો પુરુષાર્થ કરવો પડતો નથી; કેમ કે વધવાનો પુરુષાર્થ કરે છે તેથી તે દશા તો સહેજે ટકી રહે છે. ૩૯.
સાધકદશામાં શુભ ભાવ વચ્ચે આવે છે, પણ સાધક તેને છોડતો જાય છે; સાધ્યનું લક્ષ ચૂકતો નથી. - જેમ મુસાફર એક નગરથી બીજા નગરે જાય છે ત્યારે વચ્ચે બીજાં બીજાં નગર આવે તેને છોડતો જાય છે, ત્યાં રોકાતો નથી; જ્યાં જવું છે, તેનું જ લક્ષ રહે છે. ૪૦.
ખરી તાલાવેલી થાય તો માર્ગ મળે જ, માર્ગ ન મળે એમ બને નહિ. જેટલું કારણ આપે એટલું
Please inform us of any errors on rajesh@atmadharma.com