________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
તેને વસ્તુના યથાર્થ સ્વરૂપની જ ખબર નથી. ૧૧.
દ્રવ્યદષ્ટિ પ્રગટી તેને હવે ચૈતન્યના તળ ઉપર જ દષ્ટિ છે. તેમાં પરિણતિ એકમેક થઈ ગઈ છે. ચૈતન્યતળિયામાં જ સહજ દષ્ટિ છે. સ્વાનુભૂતિના કાળે કે બહાર ઉપયોગ હોય ત્યારે પણ તળ ઉપરથી દષ્ટિ છૂટતી નથી, દષ્ટિ બહાર જતી જ નથી. જ્ઞાની ચૈતન્યના પાતાળમાં પહોંચી ગયા છે; ઊંડી ઊંડી ગુફામાં, ઊંડે ઊંડે પહોંચી ગયા છે; સાધનાની સહુજ દશા સાધેલી છે. ૧૨.
હું જ્ઞાયક ને આ પર', બાકી બધાં જાણવાનાં પડખાં છે. “હું જ્ઞાયક છું, બાકી બધું પર' –આ એક ધારાએ ઊપડે તો એમાં બધું આવી જાય છે, પણ પોતે ઊંડો ઊતરતો જ નથી, કરવા ધારતો નથી, એટલે અઘરું લાગે. ૧૩.
હું છું” એમ પોતાથી પોતાનું અસ્તિત્વનું જોર આવે, પોતે પોતાને ઓળખે. પહેલાં ઉપર ઉપરથી અસ્તિત્વનું જોર આવે, પછી અસ્તિત્વનું ઊંડાણથી જોર આવે; એ વિકલ્પરૂપ હોય પણ ભાવના જોરદાર
Please inform us of any errors on rajesh@atmadharma.com