________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૭૧
ઉગ્ર પુરુષાર્થ વારંવાર કરે, જ્ઞાયકનો જ અભ્યાસ, શાયકનું જ મંથન, તેનું જ ચિંતવન કરે, તો પ્રગટ થાય.
પૂજ્ય ગુરુદેવે માર્ગ બતાવ્યો છે; ચારે પડખેથી સ્પષ્ટ કર્યું છે. ૪ર૭.
પ્રશ્ન- આત્માની વિભૂતિને ઉપમા આપી સમજાવો.
ઉત્તર:- ચૈતન્યતત્ત્વમાં વિભૂતિ ભરી છે. કોઈ ઉપમા તેને લાગુ પડતી નથી. ચૈતન્યમાં જે વિભૂતિ ભરી છે તે અનુભવમાં આવે છે; ઉપમા શી અપાય? ૪૨૮.
પ્રશ્ન:- પ્રથમ આત્માનુભવ થતાં પહેલાં, છેલ્લો વિકલ્પ કેવો હોય ?
ઉત્તર- છેલ્લા વિકલ્પનો કોઈ નિયમ નથી. ભેદજ્ઞાનપૂર્વક શુદ્ધાત્મતત્ત્વની સન્મુખતાનો અભ્યાસ કરતાં કરતાં ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ થાય છે. જ્યાં જ્ઞાયક તરફ પરિણતિ ઢળી રહી હોય છે, ત્યાં ક્યો વિકલ્પ છેલ્લો હોય (અર્થાત્ છેલ્લે અમુક જ વિકલ્પ હોય) એવો વિકલ્પ સંબંધી કોઈ નિયમ નથી. જ્ઞાયકધારાની ઉગ્રતા-તીક્ષ્ણતા થાય ત્યાં “વિકલ્પ ક્યો?” તેનો સંબંધ નથી.
Please inform us of any errors on rajesh@atmadharma.com