________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૬૯
૧૬૯
છે, વ્યક્તિમાં અશુદ્ધતા આવી છે. ૪૨૪.
પ્રશ્ન:- જિજ્ઞાસુ જીવ તત્ત્વને યથાર્થ ધારવા છતાં કેવા પ્રકારે અટકી જાય છે?
ઉત્તર:- તત્ત્વને ધારવા છતાં જગતના કોઈક પદાર્થોમાં ઊંડે ઊંડે સુખની કલ્પના રહી જાય અથવા શુભ પરિણામમાં આશ્રયબુદ્ધિ રહી જાય-ઇત્યાદિ પ્રકારે તે જીવ અટકી જાય છે. બાકી જે ખાસ જિજ્ઞાસુ-આત્માર્થી હોય અને જેને ખાસ પ્રકારની પાત્રતા પ્રગટી હોય તે તો કય ય અટકતો જ નથી, અને તે જીવને જ્ઞાનની કોઈ ભૂલ રહી ગઈ હોય તો તે પણ સ્વભાવની લગનીના બળે નીકળી જાય છે; અંતરની ખાસ પ્રકારની પાત્રતાવાળો જીવ કયાંય અટકયા વિના પોતાના આત્માને પ્રાપ્ત કરી લે છે. ૪૨૫.
પ્રશ્ન:- મુમુક્ષુએ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે શું કરવું?
ઉત્તર- અનાદિકાળથી આત્માએ પોતાનું સ્વરૂપ છોડ્યું નથી, પણ ભ્રાન્તિને લીધે છોડી દીધું છે એમ તેને ભાસ્યું છે. અનાદિકાળથી દ્રવ્ય તો શુદ્ધતાથી
Please inform us of any errors on rajesh@atmadharma.com