________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૬૭
લાભ થાય તેમ કરવું. પોતાની ચૂત પરિણતિ આત્માને
ઓળખે એ જ ધ્યેય હોવું જોઈએ. તે ધ્યેયની સિદ્ધિ અર્થે દરેક મુમુક્ષુએ આમ જ કરવું જોઈએ એવો નિયમ ન હોય. ૪૨૧.
પ્રશ્ન:- વિકલ્પ અમારો પીછો નથી છોડતા!
ઉત્તર:- વિકલ્પ તને વળગ્યા નથી, તું વિકલ્પને વળગ્યો છો. તું ખસી જા ને! વિકલ્પમાં જરા પણ સુખ અને શાંતિ નથી, અંદરમાં પૂર્ણ સુખ અને સમાધાન છે.
પહેલાં આત્મસ્વભાવની પ્રતીતિ થાય, ભેદજ્ઞાન થાય, પછી વિકલ્પ તૂટે અને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થાય.
૪૨૨.
પ્રશ્ન:- સર્વગુણાંશ તે સમ્યકત્વ કહ્યું છે, તો શું નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થતાં આત્માના બધા ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન વેદનમાં આવે ?
ઉત્તર:- નિર્વિકલ્પ સ્વાનુભૂતિની દશામાં આનંદગુણની આશ્ચર્યકારી પર્યાય પ્રગટ થતાં આત્માના બધા ગુણોનું (યથાસંભવ) આંશિક શુદ્ધ પરિણમન પ્રગટ થાય છે અને બધા ગુણોની પર્યાયોનું વેદના થાય છે.
Please inform us of any errors on rajesh@atmadharma.com