________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
૧૬૪
બહેનશ્રીનાં વચનામૃત
જ લગની લાગી છે. ચૈતન્યનગરમાં જ વાસ છે. ‘હું ને મારા આત્માના અનંત ગુણો તે જ મારા ચૈતન્યનગરની વસ્તી છે. તેનું જ મારે કામ છે. બીજાનું મારે શું કામ છે?' એમ એક આત્માની જ ધૂન છે. વિશ્વની વાર્તાથી ઉદાસ છે. બસ, એક આત્મામય જ જીવન થઈ ગયું છે;– જાણે હાલતા-ચાલતા સિદ્ધ! જેમ પિતાનો અણસાર પુત્રમાં દેખાય તેમ જિનભગવાનનો અણસા૨ મુનિરાજમાં દેખાય છે. મુનિ છઠ્ઠ-સાતમે ગુણસ્થાને રહે તેટલો કાળ કાંઈ ( આત્મશુદ્ધિની દશામાં આગળ વધ્યા વિના) ત્યાં ને ત્યાં ઊભા નથી રહેતા, આગળ વધતા જાય છે; કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી શુદ્ધિ વધારતા જ જાય છે. -આ, મુનિની અંતઃસાધના છે. જગતના જીવો મુનિની અંદરની સાધના દેખતા નથી. સાધના કાંઈ બહારથી જોવાની ચીજ નથી, અંતરની દશા અંતરની દશા છે. મુનિદા આશ્ચર્યકારક છે, વંધ છે.
૪૧૭.
*
સિદ્ધભગવાનને અવ્યાબાધ અનંત સુખ પ્રગટયું તે પ્રગટયું. તેનો કદી નાશ થતો નથી. જેને દુઃખનાં બીજડાં જ બળી ગયાં છે તે કદી સુખ છોડીને દુ:ખમાં કયાંથી આવે? એક વાર જેઓ ક્ષાયિક સમ્યગ્દર્શન પામીને છૂટા પરિણમે છે તેઓ પણ કદી ભેગા થતા
Please inform us of any errors on rajesh@atmadharma.com