________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૫૩
જેમ પૂનમના પૂર્ણ ચંદ્રના યોગે સમુદ્રમાં ભરતી આવે છે, તેમ મુનિરાજને પૂર્ણ ચૈતન્યચંદ્રના એકાગ્ર અવલોકનથી આત્મસમુદ્રમાં ભરતી આવે છે;-વૈરાગ્યની ભરતી આવે છે, આનંદની ભરતી આવે છે, સર્વ ગુણપર્યાયની યથાસંભવ ભરતી આવે છે. આ ભરતી બહારથી નહિ, ભીતરથી આવે છે. પૂર્ણ ચૈતન્યચંદ્રને સ્થિરતાપૂર્વક નિહાળતાં અંદરથી ચેતના ઊછળે છે, ચારિત્ર ઊછળે છે, સુખ ઊછળે છે, વીર્ય ઊછળે છે –બધું ઊછળે છે. ધન્ય મુનિદશા ! ૪૦૩.
પરથી ભિન્ન જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરી, વારંવાર ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં મતિશ્રુતના વિકલ્પો તૂટી જાય છે, ઉપયોગ ઊંડાણમાં ચાલ્યો જાય છે અને ભોંયરામાં ભગવાનના દર્શન પ્રાપ્ત થાય તેમ ઊંડાણમાં આત્મભગવાન દર્શન દે છે. આમ સ્વાનુભૂતિની કળા હાથમાં આવતાં, કઈ રીતે પૂર્ણતા પમાય તે બધી કળા હથમાં આવી જાય છે, કેવળજ્ઞાન સાથે કેલિ શરૂ થાય છે. ૪૦૪.
અજ્ઞાની જીવ “આ બધું ક્ષણિક છે, સંસારની ઉપાધિ દુ:ખરૂપ છે” એવા ભાવથી વૈરાગ્ય કરે છે, પણ
Please inform us of any errors on rajesh@atmadharma.com