________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૨૨
બહેનશ્રીનાં વચનામૃત
આ પ્રમાણે પ્રત્યેક સાધક, દ્રવ્ય-અપેક્ષાએ પોતાને ભગવાન માનતો હોવા છતાં, પર્યાય-અપેક્ષાએ-જ્ઞાન, આનંદ, ચારિત્ર, વીર્ય ઇત્યાદિ સર્વ પર્યાયની અપેક્ષાએ પોતાની પામરતા જાણે છે. ૩૫૨.
*
સર્વોત્કૃષ્ટ મહિમાનો ભંડાર ચૈતન્યદેવ અનાદિઅનંત પરમપારિણામિકભાવે રહેલ છે. છે. મુનિરાજે (નિયમસારના ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવે ) આ પરમપારિણામિક ભાવની ધૂન લગાવી છે. આ પંચમ ભાવ પવિત્ર છે, મહિમાવંત છે. તેનો આશ્રય કરવાથી શુદ્ધિની શરૂઆતથી માંડીને પૂર્ણતા પ્રગટે છે.
—
જે મલિન હોય, અથવા જે અંશે નિર્મળ હોય, અથવા જે અધૂરું હોય, અથવા જે શુદ્ધ ને પૂર્ણ હોવા છતાં સાપેક્ષ હોય, અધ્રુવ હોય અને ત્રિકાળિક-પરિપૂર્ણસામર્થ્યવાળું ન હોય, તેના આશ્રયથી શુદ્ધતા પ્રગટતી નથી; માટે ઔયિકભાવ, ક્ષાયોપશમિકભાવ, ઔપમિકભાવ અને ક્ષાયિકભાવ અવલંબનને યોગ્ય નથી.
જે પૂરો નિર્મળ છે, પરિપૂર્ણ છે, ૫૨મ નિરપેક્ષ છે, ધ્રુવ છે અને ત્રિકાળિક-પરિપૂર્ણ-સામર્થ્યમય છે –એવા અભેદ એક પરમપારિણામિકભાવનો જ
Please inform us of any errors on rajesh@atmadharma.com