________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૦૭
આવે છે. પણ તેના નિમિત્તે ઊપજતી સમ્યક્ પ્રતીતિનો તો એક જ પ્રકાર હોય છે. પ્રતીતિ માટેના વિચારોના સર્વ પ્રકારોમાં ‘હું જ્ઞાયક છું' તે પ્રકાર મૂળભૂત છે. ૩૧૮.
*
વિભાવથી જાદો પડીને ચૈતન્યતત્ત્વને ગ્રહણ કર. એ જ કરવાનું છે. પર્યાય સામું જોઈને પર્યાયમાં કાંઈ કરવાનું નથી. દ્રવ્યદૃષ્ટિ કરતાં પર્યાયમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર આવી જ જશે. કૂવો ખોદ તો પાણી આવશે જ, લેવા જવું નહિ પડે. ચૈતન્યપાતાળ ફૂટતાં શુદ્ધ પર્યાયનો પ્રવાહ એની મેળે જ ચાલુ થશે. ૩૧૯.
*
ચૈતન્યની ધરતી તો અનંત ગુણરૂપી બીજથી ભરેલી, રસાળ છે. આ રસાળ ધરતીને જ્ઞાન-ધ્યાનરૂપ પાણીનું સિંચન કરવાથી તે ફાલી નીકળશે. ૩૨૦.
*
પર્યાય પર દષ્ટિ રાખ્યું ચૈતન્ય પ્રગટ ન થાય, દ્રવ્યષ્ટિ કરવાથી જ ચૈતન્ય પ્રગટે. દ્રવ્યમાં અનંત સામર્થ્ય ભર્યું છે, તે દ્રવ્ય ૫૨ દષ્ટિ થંભાવ. નિગોદથી માંડીને સિદ્ધ સુધીની કોઈ પણ પર્યાય શુદ્ધ દષ્ટિનો વિષય નથી. સાધકદશા પણ શુદ્ધ દષ્ટિના વિષયભૂત
Please inform us of any errors on rajesh@atmadharma.com