________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૯૭
દ્રવ્ય સદા નિર્લેપ છે. પર્યાયમાં બધાથી નિર્લેપ રહેવા જેવું છે. કયાંય ખેદાવું નહિ, ખેંચાવું નહિ –કયાંય ઝાઝો રાગ કરવો નહિ. ૨૮૭.
વસ્તુ સૂક્ષ્મ છે, ઉપયોગ સ્થૂલ થઈ ગયો છે. સૂક્ષ્મ વસ્તુને પકડવા માટે સૂક્ષ્મ ઉપયોગનો પ્રયત્ન કર. ૨૮૮
ચૈતન્યની ઊંડી ભાવના તો અન્ય ભવમાં પણ ચૈતન્યની સાથે જ આવે છે. આત્મા તો શાથત પદાર્થ છે ને? ઉપલક વિચારોમાં નહિ પણ અંદરમાં ઘોલન કરીને તત્ત્વવિચારપૂર્વક ઊંડા સંસ્કાર નાખ્યા હશે તે સાથે આવશે.
“ तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता। નિશ્ચિત સ ભવેવ્યો ભાવિનિર્વાનુમાનન+II”
જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્યસ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે, તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે. ૨૮૯.
આત્મા જ્ઞાનપ્રધાન અનંત ગુણનો પિંડ છે. તેની સાથે અંદરમાં તન્મયતા કરવી તે જ કરવાનું છે.
Please inform us of any errors on rajesh@atmadharma.com