________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૯૫
હોય, તેને બહાર આવવું ગમતું જ નથી. સ્વભાવ શાંતિ અને નિવૃત્તિરૂપ છે, શુભાશુભ વિભાવભાવોમાં આકુળતા અને પ્રવૃત્તિ છે; તે બન્નેને મેળ ન જ ખાય. ૨૮૦.
બહારનાં બધાં કાર્યમાં સીમા-મર્યાદા હોય. અમર્યાદિત તો અન્તર્શાન અને આનંદ છે. ત્યાં સીમા - મર્યાદા નથી. અંદરમાં-સ્વભાવમાં મર્યાદા હોય નહિ. જીવને અનાદિ કાળથી જે બાહ્ય વૃત્તિ છે તેની જો મર્યાદા ન હોય તો તો જીવ કદી પાછો જ ન વળે, બાહ્યમાં જ સદા રોકાઈ જાય. અમર્યાદિત તો આત્મસ્વભાવ જ છે. આત્મા અગાધ શક્તિનો ભરેલો છે. ર૮૧.
આ જે બહારનો લોક છે તેનાથી ચૈતન્યલોક જુદો જ છે. બહારમાં માણસો દેખે કે “આણે આમ કર્યું, આમ કર્યું, પણ અંદરમાં જ્ઞાની કયાં રહે છે, શું કરે છે, તે જ્ઞાની પોતે જ જાણે છે. બહારથી જોનાર માણસોને જ્ઞાની બહારમાં કાંઈક ક્રિયાઓ કરતા કે વિકલ્પોમાં જોડાતા દેખાય, પણ અંદરમાં તો તેઓ કયાંય ઊંડ ચૈતન્યલોકમાં વિચરતા હોય છે. ૨૮૨.
Please inform us of any errors on rajesh@atmadharma.com