________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
હોય મુમુક્ષુ જીવ તે, સમજે એ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. રર
હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ. ૨૩
મતાર્થી-લક્ષણ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪
જે જિનદેહપ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫
પ્રત્યક્ષ સગુઢ્યોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્દગુરુને દૃઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ર૬
દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મતવેષનો, આગ્રહુ મુક્તિનિદાન. ૨૭
લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત-અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮
અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાધન રહિત થાય. ૨૯
જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ છે, તે બૂડ ભવમાંહી. ૩૦
એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અન્-અધિકારીમાં જ. ૩૧
નહિ કષાય-ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ૩ર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com