________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૯૧ એટલે વ્યવહાર ઉપર બહુ વિશ્વાસ કરવા જેવો નથી. કે-આવો વ્યવહાર હોય તો આમ થાયએમ નથી. નિમિત્ત આવું હોય તો આમ જ થાય તેમ ક્યાં રહ્યું?! એટલા માટે બહુ ખ્યાલ રાખવા જેવો છે.
જ્ઞાનીને પણ શુભભાવ આવે, હવે તે જોડાય છે તો ચારિત્ર મોહના ઉદયમાં ચારિત્રમોહની પ્રકૃતિ તો તેનેય પાપ પ્રકૃતિ છે. એને ધર્મ થયો માટે એની પ્રકૃતિ બદલાઈને પુણ્ય થઈ ગઈ તેમ નથી. ઘાતિમાં એકલું પાપ જ છે. (પુણ્ય-પાપ) તેવા બે ભેદ છે જ નહીં. સુડતાલીશ પ્રકૃતિ છે તે એકલી પાપ પ્રકૃતિ છે. જૈનદર્શન કોઈ અપૂર્વ દર્શન છે.
જો કોઈને વ્યવહારનો પક્ષ આવી જાય તો આ વાત ન સમજાય. આમાં રહસ્ય છે. (વ્યવહારના પક્ષવાળાને) એમ છે કે નિમિત્તના લક્ષે જ નૈમિત્તિક થાય છે. આ તેને જ સમજાય કે-જેને ક્ષણિક ઉપાદાન બેઠું હોય. તેને સમજાય કે પરિણતી નિમિત્તને આધીન થતી નથી-પરિણતી સ્વતંત્ર થાય છે. સ્વતંત્ર થાય છે તો ત્યાં જેવું નિમિત્ત છે તેવું નૈમિત્તિક કહેવાય. (શ્રોતા – આ તો એક બહુ મોટુ ઓપરેશન છે.)
જેને કરણાનુયોગનો બહુ અભ્યાસ હોય અને તેને આપણે આ વાત કરીએ તો ઘડીકમાં બેસે નહીં. અને બેસે તો કામ થઈ જાય. જો પક્ષ ન હોય અને સમજવાની જિજ્ઞાસા હોય તો આ ન્યાયથી સમજી જાય.
જીવને પુણ્યને પાપ બે પ્રકાર થાય છે કે-એક પાપ જ થાય છે? જો કોઈને એકલું પાપ થતું હોય તો કોઈને સ્વર્ગનું આયુષ્ય બંધાય નહીં. કોઈ દિવસ કોઈને એકલું પુણ્ય કે પાપ હોય જ નહીં. પુણ..પાપ, પુણ્ય...પાપ પલટના થયા જ કરે છે. નિગોદમાં પણ ભાવ પુણ્ય થયું તો બહાર નીકળી મનુષ્યમાં આવી ગયો. ઉદયમાં પ્રકૃતિ તો પાપની છે અને તે પાપની પ્રકૃતિમાં જોડાણો છે. તે પુણ્ય પ્રકૃતિમાં જોડાણો નથી. મારે એ કહેવું છે કે-પરિણામ, કેટલા નિરપેક્ષ છે. નિમિત્તને આધીન નથી. એટલે કહ્યું કે-અભૂતાર્થનયે નવ તત્ત્વને જાણ્યા અનંતકાળથી પણ હવે ભૂતાર્થનયે જાણ ત્યારે આ રહસ્ય ખ્યાલમાં આવે.
આ હવે ભૂતાર્થનો ખુલાસો છે. પહેલો ખુલાસો એમ આવ્યો કે-આત્મા કારણ નથી. બીજો ખુલાસો એ આવ્યો કે પરિણામ નિમિત્તથી નિરપેક્ષ થાય છે. સ્વતંત્ર થાય છે ને? થવા યોગ્ય કહ્યું ને!?
વ્યવહારના પક્ષવાળાને બધું સાપેક્ષ જ લાગે. તેણે નિરપેક્ષની વાતેય સાંભળી નથી. એક નિયમ કે-વ્યવહારના પક્ષવાળાને બધું સાપેક્ષ જ લાગે. આનાથી આમ થાય ને આનાથી આમ થાય. આ હોય તો આમ થાય. કેટલાય વર્ષ પહેલાં લગભગ નવની સાલમાં પૂછયું હતું, અત્યારે ૪૫ ની સાલ ચાલે છે ૩૬ વર્ષ પહેલાં પૂછયું “તું! ત્યારે મને આટલો અભ્યાસે નહીં ત્યારે અભ્યાસની શરૂઆત હતી. પંડિતજી આત્મા નિરપેક્ષ છે કે સાપેક્ષ?
આંહી કહે છે તું પર્યાયને ભૂતાર્થનયે નિરપેક્ષ તો જાણજે પણ અભૂતાર્થનયે સાપેક્ષ છે તેમ પણ જાણજે. જો એમ નહીં જાણે તો આત્મા કર્તા થઈ જશે. અને સાપેક્ષને જાણતાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com