________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૭)
તેની માન્યતા જpઠી છે, તેને સ્વતંત્ર જ્ઞાનસ્વભાવી આત્માનું ભાન નથી.
પરનિમિત્ત ઉપર દષ્ટિ છે તેણે રાગ કરવા જેવો માન્યો છે, પરથી મને લાભ-નુકશાન થાય તેમ માન્યું; તેણે અનંતા પર સાથે અનંતો રાગ-દ્વેષ કરવા જેવો માન્યો; તેની ઊંધી દષ્ટિમાં ત્રણે કાળે રાગ દ્વેષ કરવા જેવા છે એમ આવ્યું. પણ જ્ઞાનમાં સ્વલક્ષે જ્ઞાનનું સમાધાન કરવા જેવું છે એમ ન આવ્યું. જેણે સર્વજ્ઞ વીતરાગના ન્યાયથી યથાર્થ જ્ઞાનસ્વભાવને ઓળખી, અનાદિ અનંત એકરૂપ, પરથી ભિન્નપણે જાણનાર છું એવા બેહદ, અપરિમિત-જ્ઞાન સમતાસ્વરૂપની પ્રતીતિ કરી છે તેને જ્ઞાનસ્વભાવની ધીરજ કોઈ પણ રીતે ખૂટે તેમ નથી. માટે ગૃહસ્થદશામાં પણ અખંડ જ્ઞાનસ્વભાવની પ્રતીતિમાં બેહદ સમતા સહજ આવે છે. જ્ઞાન તો ગુણ છે, ગુણથી દોષની ઉત્પત્તિ સંભવે નહિ. જેણે જ્ઞાનને પોતાનું સ્વરૂપ માન્યું તેણે પરથી અટકવું માન્યું નથી. એટલે જ્ઞાનભાવે જેમ છે તેમ જાણી લેવું તે તો ગુણ છે, જ્ઞાનનું કાર્ય જાણવાનું છે, રાગનું કાર્ય પર ચીજમાં ઠીક અઠીક કલ્પના વડે અટકવાનું છે. જ્ઞાન તો દરેક આત્માનો સ્વતંત્ર અખંડ સ્વભાવ છે તે કોઈ કાળે જાણવામાં ખૂટે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com