________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૩) બહારથી નિમિત્ત વસ્ત્રાદિ છૂટી જાય છે એવો નિયમ છે. હુઠથી કાંઈ થતું નથી. ભાવના કરે ને તરતજ ફળ દેખાય એવો કોઈ નિયમ નથી, પણ ભાવના કરનારને પૂરો વિશ્વાસ છે, કે હવે સંસારમાં એકથી વધુ ભવ નથી. આવા પવિત્ર ધર્માત્માએ કરેલી ભાવનાનો વિરોધ કરનારા જીવો પણ હતા, એના વખાણ કરવા હોય તો તમે અમારા મકાનમાં આવશો નહિ એમ પણ કહેનારા હતા. અત્યારે તો કાળ (એ અપેક્ષાએ) સારો છે કે જેથી ઘણે સ્થળે તેમનો મહિમા ગવાય છે. જ્ઞાન અને જ્ઞાનીની વિરાધના કરનારા જીવોને સાચા હિતની વાત ગોઠે નહિ; જેમ સન્નિપાતના (ત્રિદોષના) રોગીને ગળ્યું દૂધ હાનિ કરે, તેમ સંસારમાં જે ઊંધા પડ્યા છે તેને પરમ હિતની વાત સાંભળતાં સનો અનાદર આવે. તે પોતાને મહાન માને છે, અને બીજાને તુચ્છ માને છે, વિષયકષાય કોને કહેવા, તેને કેમ ટાળવા તે કાંઈ સમજે નહિ. જિનઆજ્ઞાનું ભાન નહિ, અને ઘર મૂકીને વેશધારી થઈને ચાલી નીકળ્યા એટલે ત્યાગી થયાનું અભિમાન ધારણ કરે છે. વીતરાગની આજ્ઞાના નામે અનંત જ્ઞાનીની અને પોતાની આશાતના કરે છે. આશાતના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com