________________
[ ૫૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૦] જ્ઞાન વ્યાપક છે. તે જ્ઞાનના લક્ષણવડે લક્ષ્ય એટલે ચેતનને ઓળખવો એ ઉપાય છે. એમ પ્રથમ ખ્યાલમાં આવવું જોઈએ. પ્રથમ તેની હા પાડવી જોઈએ. તારી ચીજ પૂર્ણ છે એમ હું તો પાડ, તો આ રીતથી અંતરમાં પસાય એવું છે. પ્રથમ સ્વ લક્ષણ વડે આત્માને ઓળખી એ જ સ્વરૂપની શ્રદ્ધાથી આનંદકંદની રમત કર. જે જાણવાના પરિણામ વ્યક્ત દેખાય છે તેટલામાં આખી ચીજ આવી જતી નથી. સ્વરૂપ અખંડ છે. સ્વભાવનો મહિમા જેને વર્તે છે, તેને સુદેવાદિ નિમિત્તનો મહિમા આવ્યા વિના રહે નહિ. અજ્ઞાનીને વિભાવ અને વિભાવને પોષનારાનો મહિમા આવે છે. કુદેવ, કુગુરુ આદિને સ્વરૂપના સાક્ષાત્ ઘાતક માન્યા વિના ધર્મનો રસ્તો મળે તેમ નથી. અહીં કહે છે કે આત્મા અસંખ્યપ્રદેશી, આનંદકંદ છે, તેની રમત કરી સુખી થા.
આનંદકંદની રમત કહો, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહો, અથવા મોક્ષમાર્ગ કહો-બધું એક જ છે. તે રમત કરી હું સુખી થાઉં. એ આનંદકેલિ નિજસ્વરૂપશ્રદ્ધાથી થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com