________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૬૦]
[૩૭૩ ખુશી થઈ જાય છે. તેમાં આત્માનું કલ્યાણ માની એ બધી ક્રિયા કરીને પોતાને ધન્ય માને છે તે મૂઢ છે, તેને આત્માના ધર્મની ખબર નથી. મિથ્યાત્વને દઢ કરે અને તેમાં ધર્મ માને છે, તે હરખી હરખીને સંસારમાં રખડે છે. આહારનાં ગ્રહણ-ત્યાગ મારામાં છે જ નહિ, લક્ષ્મી આદિ મારાથી પર છે એમ જાણતો નથી, આહારદાન કરે ત્યાં સાધુને અધ:કર્મી અને ઉદ્દિષ્ટ આહાર આપે અને પોતાને ધન્ય માને પણ જે સાધુ અધ:કર્મી અથવા ઉદ્દિષ્ટ આહાર લે છે તે નિશ્ચય-વ્યવહાર બન્ને પ્રકારે સાધુ નથી એમ તે જાણતો નથી તેથી સંસારમાં રખડે છે.
મુનિની દશા તો એવી હોય છે કે પોતાના માટે આહાર બનાવ્યો છે એવી શંકા પડે તો તે આહાર છોડી દે. અજ્ઞાનીને એની ખબર નથી. જાઓ! અજ્ઞાનીએ ધીઠાઈ કેવી પકડી છે? નિજનિધિ અનંત સુખદાયક તેને કોણ સંભારે છે? માટે એ જ જીવોને શ્રીગુરુપદેશામૃત પીણું યોગ્ય છે, એનાથી મોહ મટે છે તથા અનુભવ પ્રગટે છે તે હવે કહે છે.
સંસારમાં જીવ રખડે છે અને પહેલાં દેશનાલબ્ધિ હોવી જોઈએ એમ કહે છે. પોતાની મેળે શાસ્ત્ર વાંચીને કોઈ ધર્મ પામી જાય-એમ નથી. સત્સમાગમ કરવો એ વાત લીધી છે. અનાદિસંસારી મિથ્યાષ્ટિ પહેલાં જ્ઞાની પાસે શુદ્ધ આત્મતત્ત્વની વાત સાંભળે અને અંતરમાં ઊતારે ત્યારે તેને મોહનો નાશ થાય છે અને આત્માનો અનુભવ પ્રગટે છે. પાત્રતા હોય ત્યાં યોગ્ય જીવને જ્ઞાનીની દેશનાલબ્ધિ મળે જ છે. દેશનાલબ્ધિ વિના માત્ર શાસ્ત્ર ભણવાથી કે અજ્ઞાનીના ઉપદેશથી કદી પણ સમ્યજ્ઞાન થાય નહિ, એવો નિમિત્તનૈમિત્તિક સહજ સ્વતંત્ર વસ્તુનો સ્વભાવ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com