________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
માહ વદ ૩, સોમ ૨-૨-૫૩
પ્ર. -૫૮
સમાધિ વર્ણન આત્માના સ્વરૂપમાં એકતા થવી તેનું નામ સમાધિ છે. સ્વભાવ જ્ઞાયક છે, એમાં લીનતા થવી તે મોક્ષમાર્ગ છે, અથવા સર્વથા અંતર્મુખદષ્ટિ કરીને એકાગ્ર થવું તે સમાધિ છે. શરીરાદિની ક્રિયા જડ છે અને પુણ્ય-પાપના પરિણામ તો વિકાર છે. આત્મા શુદ્ધ ચૈતન્ય છે, એની દષ્ટિપૂર્વક સ્થિરતા થવી તે સમાધિ છે.
આત્માના આનંદની આગળ ઇંદ્રાદિની સંપદા રોગવત્ લાગે છે. ધર્મીને ઇંદ્રના ભોગનો અનુભવ પણ દુઃખરૂપ લાગે છે. આત્માની પ્રીતિમાં ઇંદ્રના ભોગની વેદના આકુળતા લાગે છે, ત્યાં અનુકૂળતા લાગતી નથી. આત્મા ત્રિકાળ ધ્રુવ શુદ્ધ નિર્મળાનંદ છે, એના આશ્રયે જે આનંદ પ્રગટે એમાં પુણ્ય-પાપની રુચિ તો નથી પણ એના ફળની પણ રુચિ ધર્મીને હોતી નથી. આત્મા જ્ઞાયક છે, એની રુચિથી સ્વભાવમાંથી આનંદ જ વહે છે-દ્રવે છે. દ્રવ્ય પોતે દ્રવે છે-વહે છે. જેને પર્યાયબુદ્ધિ છૂટી ગઈ છે અને દ્રવ્યબુદ્ધિ થઈ છે એ ખરેખર પોતાના સ્વભાવને દ્રવે છે, તેને યથાર્થમાં દ્રવ્ય કહે છે. વિકારને દ્રવે તે આત્મદ્રવ્ય નહિએમ કહે છે.
જેમ પાણીનો બરફ હોય છે એમાંથી પાણી વહે છે, તેમ દ્રવ્ય પોતે વહે છે. તે પરિણામ વિષે પરિણમે છે. દ્રવ્યનું લક્ષણ દ્રવવું તે છે. આત્માને દ્રવ્ય કેમ કહ્યું છે? આત્મા ચિદાનંદસ્વરૂપ દ્રવ્ય છે, તે વીતરાગદશારૂપ દ્રવે તો દ્રવ્ય છે અખંડ જ્ઞાયકસ્વભાવ છે એમ દ્રવે-વહે તો દ્રવ્ય કહેવાય છે. અહીં તો સમાધિનું વર્ણન છે. સમાધિ કોને કહેવાય? કે આત્મદ્રવ્ય પોતે પોતાનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com