________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૬]
[ શ્રી અનુભવ પ્રકાશ સારો ને નરસો એમ પણ રહ્યું નહિ. આમ રાગથી જ્ઞાન જુદું પડતાં જ્ઞાનપર્યાય આત્મા સાથે અભેદ થાય છે એ ધર્મ છે.
જ્ઞાન જ્ઞાનસત્તાને જાણે છે. જ્ઞાન પોતે જ્ઞાતા અને શેય બને છે. વળી જ્ઞાન દર્શનસત્તાને જાણે છે. દર્શન એટલે દેખવું. મારામાં દેખવાનો ગુણ છે–એમ જ્ઞાન જાણે છે. એવી રીતે સ્વચ્છત્વ, વિભુત્વ, પ્રભુત્વ વગેરે અનંતા ગુણો છે તેને જ્ઞાન જાણે છે. અનંતા ગુણને જેમ છે તેમ જ્ઞાન જાણે છે. દરેક ગુણ ભિન્ન ભિન્ન છે. એમ જ્ઞાન જાણે છે, પણ તેમાં પ્રદેશભેદ નથી. જ્ઞાન અમુક જગ્યાએ રહે ને દર્શન અમુક જગ્યાએ રહેએવો ભેદ નથી. બધા ગુણો અસંખ્યપ્રદેશમાં વ્યાપક છે, માટે પૃથકત્વ ભેદ નથી; છતાં અન્યત્વ ભેદ છે. જ્ઞાનગુણ તે દર્શનગુણ નથી, આનંદ તે આનંદ છે, દર્શન તે દર્શન છે-એમ દરેક ગુણને ભિન્ન ભિન્ન જાણવા તે જ્ઞાનનું કાર્ય છે.
આત્મદ્રવ્યની સત્તા, ગુણની સત્તા અને પર્યાયની સત્તાને જેમ છે તેમ જાણવી તે ધર્મ છે.
:
-
iS S 1
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com