________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨]
| [ શ્રી અનુભવ પ્રકાશ જાણે છે તે કાળ (પર્યાય) કહ્યો, છતાં તે બધું પોતામાં રહી, ક્ષેત્ર ફર્યા વિના, પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને ધારીને સ્વક્ષેત્રમાં રહીને જાણે છે તે ક્ષેત્ર કહ્યું-આમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ભગવાનનું સ્વરૂપ કહ્યું.
પરમાત્માને શેયો લક્ષમાં છે પણ તેઓ શેયોને ફેરવે કે બદલાવે તેવા નથી, માત્ર બધાં શેયોને જાણે છે ને પોતાના અસંખ્યપ્રદેશી નિજસ્થાનમાં સદાય અચલ છે, ત્યાંથી કદી ચલિત થતા નથી.
સિદ્ધ ભગવાન અથવા નિર્વાણનાથ કેવા છે? જિનેશ્વર પરમ દેવાધિદેવ છે, પરમાત્મા છે, પોતાની ઈશ્વરતા પોતાને પ્રગટ થઈ છે માટે પરમેશ્વર છે. વળી જ્ઞાની ધર્માત્માને પરમ પૂજ્ય છે. અજ્ઞાનીને પૂજ્ય નથી, કેમકે પૂજ્ય કેવા હોય અને પૂજનાર કેવો હોય તેની અજ્ઞાનીને ખબર નથી. વળી ભગવાન મિથ્યાત્વ-રાગાદિ મળથી રહિત છે, ઉપમા વિનાના છે, તેમને આનંદમાં ખંડ પડતો નથી એવા શીતળીભૂત ભગવાન નિર્વાણનાથને નમસ્કાર કરું છું. પરિપૂર્ણ દશાની રક્ષા કરે છે તે નિર્વાણનાથ છે. આમ ઓળખાણ કરી ગ્રંથકાર નમસ્કાર કરે છે, તે વિના નમસ્કાર સાચો હોતો નથી. જીવ પોતાના સ્વરૂપને ઓળખે તો ભગવાન ઉપર નિમિત્તનો આરોપ આવે. આમ સ્વરૂપને સમજી, ભગવાનને નમસ્કાર કરી, આત્માની આનંદદશાના પ્રકાશક આ ગ્રંથની શરૂઆત કરે છે.
નિર્મળ ભેદજ્ઞાન દ્વારા આત્માના પ્રસાદથી તથા નિમિત્તરૂપે ભગવાનના પ્રસાદથી પોતાના આત્મામાં આનંદ પ્રગટ થાય તે ધર્મ છે. પ્રથમ અજ્ઞાનમાં વિકારી પર્યાય તરફ જોતો તે સ્વભાવ તરફ જોવાથી નિજ આનંદદશા પ્રગટ થાય છે. આત્મા પોતે આનંદની ખાણ છે, તેના આશ્રય આનંદ પ્રગટે છે.
આમ નમસ્કાર કરી મહિમા કર્યો ને તેનું ફળ આનંદ બતાવ્યું.
પ્રથમ આ લોકમાં અનંતા આત્મા, અનંતાનંત પુદ્ગલો, એક ધર્મ, એક અધર્મ, એક આકાશ ને અસંખ્ય સ્રનાણુ-એમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com