________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪]
[ શ્રી અનુભવ પ્રકાશ પાણીમાં સદાય રહેતાં માછલાંને સારા વિચાર હોવા જોઈએ. અજ્ઞાની જીવ માને છે કે સ્નાન કરવાથી કાયાનું કલ્યાણ થાય, પણ આખા સમુદ્રના પાણીથી શરીરને ધો તોપણ તે મલિન રહેવાનું, નાહ્યા પછી તુરત આંખમાંથી પાણી નીકળે, પરસેવો વળે વગેરે માટે તેમાં પવિત્રતા નથી. અજ્ઞાની શરીરની સંભાળમાં રોકાઈ ગયો છે. ભગવાન આત્માનો જ્ઞાનપર્યાય સરખી રીતે ગોઠવવાનો તે પ્રયત્ન કરતો નથી, પણ રાગદ્વેષમાં ફરફર કરે છે. શરીર લોહીમાંસથી ભરેલું છે ને ચિદાનંદ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેનો ખ્યાલ કરતો નથી. ભાઈ, શરીર નબળું પડશે, ઝાડા થશે, વગેરે ઘણા પ્રકારે રોગ થશે, માટે શરીર પવિત્ર નથી. અનુકૂળ પર પદાર્થનો સદ્દભાવ રાખવા ને પ્રતિકૂળનો અભાવ કરવાના પ્રયત્ન કરી અજ્ઞાની જે રાગદ્વેષ કરે છે તે બધા નિરર્થક છે, જ્ઞાનીને નબળાઈના કારણે રાગદ્વેષ થાય છે, તે પરથી નથી. તે પોતાનો ચારિત્રદોષ છે. અજ્ઞાની પરને રાખવા માગે છે, તેથી મિથ્યાદર્શન સહિતનો દોષ છે. આવી રીતે શરીર વગેરે સુંદર હોય તો ઠીક એમ માની અજ્ઞાની ધીઠાઈ કરે છે. જાઓ, ભગવાનની વાણીએ આત્માના ગાણાં ગાયાં છે! વળી જોરાવરીથી ઠીકરીનો રૂપિયો બનાવી તેને ચલાવવા માગે તો તેથી કોઈ વસ્તુ મળે નહિ. તેમ તું પુણ્ય-પાપને ભલાં માનીને ધર્મમાં ચલાવવા માગ તોપણ તેનાથી તને ધર્મ થશે નહિ.
જડ અને પુણ્ય-પાપની ક્રિયાથી આત્મા મળશે નહિ. જ્ઞાનાનંદને ચૂકીને પુણ્ય-પાપને લાભદાયક માને છે તે ભૂલ છે. તે ભૂલ ન છોડે તો આખી દુનિયામાં પોતાની હાંસી પોતે જ કરાવે છે. જાઓ! આ આત્મા અનંત જ્ઞાનનો ધણી છે, પોતે પોતાને ભૂલી દુઃખને પામે છે. જગતમાં હાંસીથી જીવ શરમિંદો થાય છે. અરેરે ! મેં આ શું કર્યું-એમ વિચારી ફરીથી હાંસીનું કામ ન કરે; તેમ ચોરાશીના અવતાર ધારણ કરવાથી આ જીવની હાંસી થઈ રહી છે. આત્માને શેઠ કહેવો તે ગાળ દીધા બરાબર છે. રાજાસાહેબ, નેકનામદાર, વગેરેથી આત્માને ઓળખાવવો તે મશ્કરી સમાન છે. “જગતમાં આવું કોઈ દાન ન આપે, તમોએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com