________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૫]
[૮૯ નહિ. જીવે પર્યાયમાં મોહને સ્પર્શે છે. અસાવધાનીરૂપ વિકાર પર્યાયમાં થયો છે; પણ ત્રિકાળી સ્વભાવ મેલો થયો નથી. મેલી દશા પર્યાયમાં ન હોય તો દુઃખ ન હોય, ને ત્રિકાળી સ્વભાવ મેલો હોય તો રાગ કદી ટળે નહિ. વિકાર પોતે પર્યાયમાં ઊભો કરેલ છે, પણ વિકાર અનિત્ય ને દુઃખદાયક છે ને સ્વભાવ નિત્ય ને સુખદાયક છે.
એમ ભેદજ્ઞાન કરે તો સુખ પામે. આ બધી અંતરની વાત છે. પોતે અંતરમાં ભૂલ્યો છે માટે અંતરમાં જોવાની વાત છે. જ્યાં ભૂલ હોય ત્યાં ભૂલ ટાળવાનો ઉપાય ન કરે ને બાહ્ય ઉપાય કરે તો ભૂલ ટળે નહિ. શરીરની ક્રિયા કરીને ભૂલ સુધારવા માગે છે, શરીર જડ છે તેને ભૂલ ન હોય, ત્યાં ભૂલ ટાળવાની વાત નથી. માટે જ્યાં ભૂલ છે
ત્યાં ટાળવી જોઈએ. રાગ અને અવિકાર સ્વભાવની વચ્ચે ભેદજ્ઞાનની છીણી મારી નિજજ્ઞાનનો અભ્યાસ કરવો. આત્મા અવિકારી સ્વરૂપ છે, અખંડ ચૈતન્યજ્યોત છે, એમાં આનંદનો અનુભવ આણી મહામોહને ભેદવો. આનંદ પોતામાં છે, શરીર ને સ્ત્રી આદિમાં આનંદ નથી. , બાહ્ય વ્રત-તપમાં આનંદ નથી. દુઃખરસ છે. સંસારના નામામાં વેપારી ચીવટ રાખે, અહીં તારા આત્માનો રોજમેળ કર્યો! તારી શાન્તિ તારા આનંદની પર્યાયના અનુભવમાં છે. શાંતિ કહો, અનુભવ કહો, કે મોક્ષમાર્ગ કહો તે આત્મધર્મના પર્યાયવાચક નામો છે.
પોતાનું સ્વરૂપ છે તે પોતાનો સ્વભાવ છે. તેને નિજ ઉપયોગમાં સ્થિર કરે. ભગવાન આત્મા આદિ અંત વિનાનું તત્ત્વ છે. કર્મના રજકણોની અંદર એવું ને એવું પડ્યું છે, કર્મમાં ગુમ છે, કર્મના આવરણની વાત નથી, પણ જેમ ડાબલીમાં હીરો છે તેમ કર્મની અંદર ચૈતન્યહીરો છે. તેથી શું તે શક્તિનો અભાવ માનીએ ? જેમ કોઈનો પુત્ર ઘરમાં છે ને બજારમાં કોઈએ તેને પૂછયું આપને પુત્ર છે? ત્યારે તે કહે કે મારે પુત્ર છે, અભાવ કહેતા નથી. બજારમાં સાથે ન હોય તેથી દીકરો નથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com