SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४८ અનુભવ પ્રકાશ વરણ અને શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમથી સ્વસંવેદનરસ વધ્યો. સ્વસંવેદનસ્થિરતાથી ઊપજેલો રસાસ્વાદરૂપ સ્વાનુભવ તે અનંતસુખનું મૂલ છે. તે અનુભવ ધારાધર (મૂશળધાર વરસાદરૂપ-ધારાપ્રવાહરૂપ) જાગતાં, દુઃખદાવાનલ રંચ પણ રહેતો નથી. મુનિજનો સ્વાનુભવને ભવવાસ ઘટાનો નાશ કરવા માટે પરમ પ્રચંડ પવન કહે છે. અનુભવસુધાનું પાન કરી અનેક ભવ્ય જીવ અમર થયા. અનુભવ જ પરમ પૂજ્ય પદને કરે છે. એના વિના સર્વવેદપૂરાણ નિરર્થક છે, સ્મૃતિ વિસ્મૃતિ છે, શાસ્ત્રાર્થ વ્યર્થ છે, પૂજા, ભજન મોહ છે, અનુભવ વિના નિર્વિઘ્ન કાર્ય વિધ્ર છે, પરમેશ્વરકથા તે પણ જૂઠી છે. તપ પણ જૂઠું છે, તીર્થસેવન જૂઠું છે. (અનુભવ વિના ) તર્ક, પુરાણ, વ્યાકરણ ખેદ છે, ગામમાં ગાય, શ્વાનની જેમ અને વનમાં હરણાદિની જેમ અજ્ઞાન તપસી છે. પુરુષ ગમે ત્યાં રહે, અનુભવપ્રસાદથી તે (સદા) પૂજ્ય છે, અનુભવઆનંદ, અનુભવ-ધર્મ, અનુભવપરમપદ, અનુભવ-અનંતગુણ-રસ-સાગર અનુભવથી સિદ્ધ થાય છે, અનુપમ જ્યોતિ, અમિત તેજ, અખંડ, અચલ, અમલ, અતુલ, અબાધિત, અરૂપ, અજર, અમર, અવિનાશી, અલખ, અછંદ, અભેદ, અક્રિય, અમૂર્તિક, અકર્તૃત્વ, અભોકતૃત્વ, અવિગત (નિત્ય ), આનંદમય, ચિદાનંદ, ઇત્યાદિ પરમેશ્વરના સર્વ અનંત વિશેષણોને અનુભવ સિદ્ધ કરે છે, માટે અનુભવ સાર છે. ઘટા-વાદળ અનુભૌ અખંડ રસ ધારા૫ર જગ્ય જહાઁ. તહાઁ દુઃખ દાવાનલ રેચ ન રહતુ હૈ; કરમ નિવાસ ભવવાસ ઘટા ભાનવેક, પરમ પ્રચંડ પૌનિ મુનિજન કહેતું . થાક રસ પિમેં ફિર કાદૂકી ન ઈચ્છા હોય, યહ સુખદાની સબ જગમેં મહતુ હું; આનંદકી ધામ અભિરામ યહુ સન્તક, યાહીકે ધરૈયા પદ સાસતૌ લહત હૈ. ૧૨૭ - જ્ઞાન દર્પણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008207
Book TitleAnubhav Prakash
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size691 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy