________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે. તેમાં આ સાતમા પુષ્પનું પ્રકાશન મુમુક્ષુઓ સમક્ષ મૂકતાં આનંદ થાય છે. આ ગ્રંથની પ્રથમ ત્રણ આવૃત્તિઓ અનુવાદક શ્રી સોમચંદ અમથાલાલ શાહ કલોલવાળાની શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢથી પ્રકાશિત થયેલ છે. તેમ છતાં ગ્રંથની પ્રિયતાને લઈને મુમુક્ષુઓને પ્રાપ્ય બની રહે તે હેતુથી તેની ચોથી આવૃત્તિ પ્રકાશિત પામે છે. સદર પ્રકાશનમાં આર્થિક સહાય આપનારની નામાવલિ અન્યત્ર આપેલ છે; તે બદલ ટ્રસ્ટ તેમનો આભાર માને છે. મૂળગ્રંથ જુની હિંદી ( ટુંઢારી) ભાષામાં છે. ગુજરાતી જનતાને સમજવામાં સરળ થાય તેથી ગુજરાતીમાં અનુવાદ કરવા બદલ અનુવાદકનો આભાર માનવામાં આવે છે.
અનુભવપ્રકાશ હિંદી આવૃત્તિ ત્રીજી અને જુની હિંદી અનુભવ પ્રકાશના પુસ્તક પ્રમાણે મૂળ હિંદી સાથે મેળવતાં શ્રી અમૃતલાલ ઝાટકીયાએ હિંદી પ્રમાણે સંશોધન કરી આપ્યું છે. તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે.
શ્રી રાધેશ્યામ પ્રિન્ટિંગ પ્રેસવાળાએ ટૂંક સમયમાં છાપકામ કરી આપેલ છે, તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે.
આવા અનુભવપ્રધાન ગ્રંથનું અમૃતપાન કરી મુમુક્ષુઓને અનુભવની પ્રાપ્તિ થાઓ તેવી ભાવના સાથે...
ટ્રસ્ટીગણ
શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ, તા. ૧૫- ઓગષ્ટ ૧૯૭૬.
ભાવનગ૨.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com