________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૪૩ બની) અંધધંધામાં ધાયો, પોતે ઓળખાયો નહિ; હવે શ્રી ગુરુપ્રતાપથી સત્સંગ મેળવો, જેથી ભવતાપ મટે, પોતે પોતાનામાં જ પામે, જ્ઞાનલક્ષણથી પિછાણે, પોતે ચિંત્વન ધારણ કરે, નિજપરિણતિ વધારે, નિજમાં જ લય (લીનતા) લગાવે, સહજ
સ્વરસને પામે, કર્મબંધનને મટાડે, નિજમાં નિજપરિણતિભાવ લગાડે, શ્રેષ્ઠચિગુણપર્યાયને ધ્યાવે ત્યારે હર્ષ પામે, મનવિશ્રામ આવે, સ્વરસા સ્વાદને જે પામે (તેને) નિજ-અનુભવ કહેવાય. તેને દૂર કોણ બતાવે? (વળી) ભવભ્રમણ ઘટાડે. પોતે અલખને ઓળખે, ચિદાનંદને દર્શાવે, અવિનાશી રસ પામે, જેનો જશ ભવ્ય જીવો ગાય છે, જેનો અપાર મહિમા છે. (જને) જાણતાં ભવભાર મટે છે. એવા મહા અવિકાર સમયસારને જાણી લેજો.
સદાય જીવો, એમ કરો કે જેથી તે (આત્મા) (આત્માનો) દ્રોહી ન થાય, જિનાગમમાં એવી વાત કહી છે કે પોતાને અવલોક્ય શુદ્ધ ઉપયોગ થાય. પરનો વિયોગ ભાવ્ય, સહજ ઓળખાય. ત્રણ લોકનો નાથ વિખ્યાત છે. નિજ અનુરાગપૂર્વક વીતરાગભાવને ધારણ કરો; આ દાવ પામ્યો છો, ફરી (આવો) ઉપાય મળવાનો નથી, માટે જેનાથી ભવફંદ મટે એવો ભાવ ધારણ કરો. તેથી માનસ્થંભને મટાડી, માયાજાલને જલાવી, ક્રોધાગ્નિને બુઝાવી, લોભલહરીઓને મટાડી, વિષયભાવનાને ન ભાવી ચિદાનંદરાયપદને દેખો, દેખો, પોતે પોતાને ગવેષો. પરંવેદનાનું ઉચ્છેદન કરી, સહજભાવ ધરી, અન્તર્વેદી થઈ, આનંદધારાને નિહાળી નિશ્ચયરૂપ પરમાત્માને દેખો.
આ પરિણતિરૂપ નારીથી લલચાઈ કુમતિ સખીના સંગે ૧. આમદરવ જાક કારણ સદૈવ મહા, ઐસો નિજ ચેતનમેં ભાવ અવિકારી હૈ; તાહીકી ધરણહારી જીવકી સકતિ એસી, તાસોં જીવ જીર્વે તિહું કાલ ગુણધારી હૈ, દ્રવ્યગુણપર્યાય યે તો જીવદશા સબ, ઈનહીÄ વસ્તુ જીવ જીવનતા સારી હૈં સબકૌ આધાર સાર મહિમા અપાર જાકી, જીવનશક્તિ “વીપ' જીવ સુખાકારી હૈ. ૫૯.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com