________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૩૭
એ પ્રમાણે સર્વ દ્રવ્યગુણપર્યાયની સ્વભાવજાતિ સિદ્ધ થવી તે સમ્યભાવથી થાય છે. તેથી સમ્યભાવ સાધક છે, વસ્તુસ્વભાવજાતિ સિદ્ધ થવી તે સાધ્ય છે. શુદ્ધાપયોગપરિણતિ સાધક છે, ૫રમાત્મા સાધ્ય છે, તે શાથી? સ્વભાવસંગથી શુદ્ધોપયોગ થાય છે. જ્ઞાનદર્શન તો સાધક છે તેથી શુધ્ધોપયોગ, ચારિત્રરૂપ શુધ્ધોપયોગ સર્વરૂપ છે. તે જ્ઞાનદર્શન તો સાધક છે તેથી સર્વરૂપ શુદ્ધ નથી, કેટલીક શક્તિવડે શુદ્ધ છે. ચારિત્ર ગુણ (તો ) બારમે ગુણસ્થાને સર્વરૂપ શુદ્ધ છે પણ તેરમા, ચૌદમા ગુણસ્થાન કે પ૨મયથાખ્યાતનું નામ પામે છે. માટે કેટલીક જ્ઞાનશક્તિ શુદ્ધ થઈ તે જ્ઞાનશક્તિથી કેવલજ્ઞાનરૂપ, ગુપ્ત, નિજરૂપ તેને પ્રતીતિમાં વ્યક્ત કરે ત્યારે પરિણતિએ કેવલજ્ઞાનની પ્રતીતિ-રુચિ-શ્રદ્ધાભાવ-કરી નિશ્ચય કર્યો. ગુપ્તના વ્યક્તશ્રદ્ધાનથી (તે) વ્યક્ત થઈ જાય છે
એઠેશસ્વરૂપમાં શુદ્ધત્વ સર્વદેશને સાધે છે. શુદ્ઘનિશ્ચયનયથી શુદ્ધ સ્વરૂપ જાણ્યું, પરિણતિમાં શુદ્ધ નિશ્ચય થયો, ત્યારે તેવો જ વેધો ( અનુભવ કર્યો ). શુદ્ધનો નિશ્ચય શુદ્ધ પરમાત્માનું કારણ છે માટે શુદ્ધપયોગ સાધક, ૫રમાત્મા સાધ્ય છે, વ્યવહારરત્નત્રય સાધક છે, નિશ્ચય સાધ્ય છે, તે કેવી રીતે ? તત્ત્વશ્રદ્ધાનમાં ૫૨નું હેયશ્રદ્ધાન, અને નિજતત્ત્વનું ઉપાદેયશ્રદ્ધાન છે. તત્ત્વજ્ઞાનમાં પરતત્ત્વનું રૂપ હેય જાણ્યું, નિજતત્ત્વનેઉપાદેય જાણ્યું. ભવભોગાદિ વિરતિ કાર્યકારી જાણી, સમ્યક્ત્વ-આચરણરીતિ ઉપાદેય જાણી. એવા વ્યવહારતત્ત્વથી મિશ્રિત હૈય-ઉપાદેયના વિચારો સભ્યભેદ સહિત હોય છે. આ વ્યવહાર થતાં મન-ઇન્દ્રિય-ઉપયોગને નિરોધી નિજસમ્યસ્વરૂપને શુદ્ધ અનુભવે સિદ્ધ સમાન નિજ સ્વરૂપનું શ્રદ્ધાન કરે. સાત તત્ત્વનો ભેળ નથી. નિજ શુદ્ધ તત્ત્વ અનુભવગોચર કરે. નિશ્ચયથી શ્રદ્ધાનમાં પોતાનો પ૨માત્મા શુદ્ધ છે. નિશ્ચયથી જ્ઞાન, પરમાત્માનું જાણપણું કેવલજ્ઞાનજાતિથી જાણે; અલ્પ સમ્યગ્નાનથી સંપૂર્ણ સમ્યજ્ઞાનને ( પોતાની) પ્રતીતિમાં જાણે. સ્વસંવેદનમાં જાતિરૂપથી પોતાનું સ્વરૂપ કેવલજ્ઞાનમાં બરાબર જાણ્યું. થોડા જ્ઞાનમાં ઘણા જ્ઞાનની પ્રતીતિ આવી. નિશ્ચયથી સ્વરૂપ જાણ્યું, તે નિશ્ચયજ્ઞાનપરિણતિથી સ્વરૂપમાં આચરવું તે સ્વરૂપાચરણ છે. પરમાત્માનું શ્રદ્ધાન-જ્ઞાન, નિશ્ચયથી કેટલીક જ્ઞાનાદિ શુદ્ધશક્તિથી, થયું
Please inform us of any errors on rajesh@Atma Dharma.com