________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦
અનુભવ પ્રકાશ
દેખતા જ ગ્લાનિ (ઉપજે છે), બહારમાં (તેનું) રૂપ દેખાય છે તો સુંદર, ( પણ ) અંદર ખરાબી પડી છે. તેની અંદર વિષ્ટા, મૂત્રની ખાણ (છે), (દેહ) નાશ ન પામતો હોય તો એ એવો હોવા છતાં પણ અંગીકાર કરીએ. નાશ પામવા છતાં પણ તમને દુ:ખદાયી ન હોય તો એવાની (દેહની ) સાથે તમે સ્નેહ કરો ( પણ ) જન્માદિ દુઃખ ભરો છો (વહોરો છો) તમારી સાથે (એ) જન્માદિ અનાદિના લાગી આવ્યા છે. તમે મહાન પુરુષોના જેવી રીતિનો ભાવ કર્યો છે કે- ‘જે અમારી સાથે સંબંધ રાખે તેને ન છોડવાં' એમ તો તમે મહંત કહેવાશો નહિ. મહંત તો પાપને મટાડતાં જ થવાય. એ તો (દેહ તો ) પાપનું રૂપ છે. માટે તમે સમજો, તમારા ધનને અંગીકાર કરો, પારકું ધન જતું રહે છે, તેને તમે ફરી ગ્રહો છો, તેના દંડમાં ભવદુઃખ સહો છો તો પણ પ૨ને લેતાં લેતાં (તમે ) થાક્યા નથી બહુ દુ:ખી થવા છતાં ૫૨ ગ્રહણનું બાણ (લક્ષ, લાલસા, ટેવ) તમે છોડતાં નથી. શાહપદ તો પોતાના ધનથી પામશો. તેવી સ્વપરના વિવેકી બની આત્મધનને ગ્રહો, પરનું મમત્વ સ્વપ્નાંતરમાં ન કરો. તમારી પાસે અખંડ રત્નત્રયાદિ અનંતગુણનિધાન છે, (તમે ) દરદ્રી નથી, જે રિદ્રી હોય તે એવા કામ કરે.
શ્રી ગુરુએ તમારું નિધાન તમને દર્શાવ્યું છે. હવે (તેને) સંભારી સુખ થાઓ. જેમ કોઈ સ્ત્રીએ પોતાની પથારી ઉપર કાષ્ટની પૂતળીને શણગારીને સુવાડી. પતિ આવ્યો ત્યારે તેણે એમ જાણ્યું કે મારી સ્ત્રી સૂતી છે. (તેને) હેલો દીધો (સાદ પાડયો) પણ બોલી નહિ, ત્યારે પવનાદિથી સેવા ચાકરી આખી રાત કરી. પ્રભાત થયું ત્યારે જાણ્યું કે મેં જૂઠી જ સેવા કરી. એ પ્રમાણે, દેહને દેહને સાચો પોતારૂપ ( આત્મા ) માની સેવે છે. જ્ઞાન થતાં એમ જાણે કે મેં અનાદિ કાળથી દેહને પોતાપણું જુઠજ માન્યું. હૈ ચિદાનંદ! તમે પાંચ ઇન્દ્રિયરૂપી ચોરને પોષો છો, અને જાણો છો કે
આ અમને સુખ આપે છે, પણ એ અન્તરના ગુણરત્નને ચોરી લે છે. (તેની ) તમને ખબર નથી. હવે તમે જ્ઞાન ખડગ સંભાળો, ચોરોને એવા રોકો કે ફરી બળ ન પકડે (જોર ન કરે ). વિષયકષાયને જીતીને નિજ રીતિના રાહમાં આવો, અને તમે શિવપુરીમાં પહોંચી રાજ્ય કરો.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com