SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુભવ પ્રકાશ | વિલસ, પરચિરૂપ ખોટો આહાર સેવતાં (આત્માને) મિથ્યાજ્વર આવ્યો, ત્યારે વિવેક નિર્બળ બન્યો. તેથી સ્વ-આચારરૂપ પારાને શ્રદ્ધારૂપી બુટ્ટીના પુટથી સુધારી (શુદ્ધ કરી) તેનું સેવન કરે તો વિવેકલ્લ, મિથ્યાજ્વર મટાડી સબલ થઈ અવિવેકને પછાડ, ત્યારે આનંદનિધિનો વિલાસ (સ્વયં) થાય. સ્વઆચાર શું? શ્રદ્ધા કઈ રીતે થાય ? તે કહેવામાં આવે છે : આ અનાદિ સંસારમાં અનાદિકાલથી (મેં ) પરવિચાર કર્યો. (તેથી) મારી જ્ઞાનચેતના અશુદ્ધ થઈ. હવે સ્વ-આચારરૂપ પારાનું સેવન કરવામાં આવે તો અવિનાશી પદને ભેટીએ. (તે અવિનાશી પદને ભેટવા માટે) “હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? (તે) કેવી રીતે પામીએ?' (તેનો વિચાર કરવો). વળી વિચારવું કે) પ્રથમ (મૂળ) પદ પોતાનો ઉપયોગ પ્રકાશ છે, (એક) દર્શનજ્ઞાન ઉપયોગ, (બીજો) ચારિત્ર ઉપયોગ. દર્શન દેખે છે, જ્ઞાન જાણે છે, ચારિત્ર પરિણામવડે આચરે છે. એવા (પર) શયનું દેખવું, જાણવું આચરવું અનાદિથી કર્યું, (પણ) મારા વિશુદ્ધ પદમાં ઉપયોગ ન દીધો (ન મૂક્યો છે. અતીન્દ્રિય (સ્વાધીન) સુખની પ્રાપ્તિ વિના (હું) ખાલી રહ્યો. અનંત તીર્થંકર થયા, તેમણે સ્વરૂપ શુદ્ધ કર્યું, અનંત સુખી થયા. હવે મારે પણ એવી જ રીતે (એમની જેમજ ) સ્વરૂપ શુદ્ધ કરવું છે. મહામુનિજનો નિરંતર સ્વરૂપસેવન કરે છે. માટે તમારે પણ ) મારું લોક્યપૂજ્ય, સર્વોત્કૃષ્ટ પદ અવલોકી (નિજ) કાર્ય કરવું છે. કર્મઘટામાં મારો સ્વરૂપ સૂર્ય છૂપાયો છે. મારા સ્વરૂપ સૂર્યનો પ્રકાશ કર્મઘટાથી જરાપણ હણાયો નથી, (માત્ર) અવરોધાયેલો છે. ગમે તેટલું (કર્મ) ઘટાનું જોર હોય, (તોપણ તે) મારા સ્વરૂપને હણી શકે નહિ, ચેતનને અચેતન કરી શકે નહિ. મારી જ ભૂલ થઈ છે. જ્યારે સ્વપદ ભૂલ્યો ( , ) ભૂલ જ મટાડું. (કારણ કે, મારું સ્વપદ જેમનું તેમ બની રહ્યું છે. જેમકે-કોઈ રત્નદ્વીપનો પુરુષ હતો. ત્યાં રત્નનાં મંદિરો હતાં. (તે) રત્નસમૂહમાં રહેતો હતો. પરખ જાણતો ન હતો. (પારખતા) ૧. પરખ-પરીક્ષા, પારખવું, અથવા ગુણ અને દોષની યથાર્થ નિર્ણાયક દૃષ્ટિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008207
Book TitleAnubhav Prakash
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size691 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy